લોકસભા ચૂંટણીની સાથે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી નહીં કરાવવા પર ચૂંટણી પંચના નિર્ણય પર વિવાદ શરૂ થઇ ગયો છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા બાદ બીએસપી સુપ્રીમો માયાવતી અને નેશનલ કોન્ફ્રેસના નેતા ફારૂક અબ્દુલાએ પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. માયાવતીએ કહ્યું કે આ મોદી સરકારની કાશ્મીર નીતિની નિષ્ફળતાની નિશાની છે. ત્યારે ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જ્યારે તમામ દળ ઇચ્છે છે કે ચૂંટણી થાય તો પછી લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી કેમ ના થઇ શકે.