ગુજરાતની છ બેઠકો પર 27 વર્ષથી ભાજનો વિજય થયો નથી;ગરબાડા , મહુધા, શઘડિયા, બોરસદ, આંકલાવ, વ્યારા બેઠક પર આ વખતે ખીલશે કમળ
છ બેઠકો એવી જ્યાં 27 વર્ષથી કમળ ખીલ્યું નથી
ગરબાડા, મહુધા,બોરસદ અહીં ભાજપ જીત્યું નથી
શઘડિયા બેઠક પર ભાજપ ક્યારેય જીતી શક્યું નથી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યું છે. ત્યારે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાનું કાર્ય વેગવંતુ બન્યું છે. આમ આદમી પાર્ટીએ તો અત્યાર સુધીમાં અનેક ઉમેદવારોના નામો પણ જાહેર કરી દીધાં છે. તો કોંગ્રેસે પણ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઇ કવાયત શરૂ કરાઈ છે. ભાજપ એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. ભાજપે આ વખતે ચૂંટણી જીતનો લક્ષ્યાંક મોટો રાખ્યો છે જે માટે મતદારોને રીઝવવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. મહત્વની વાત એ છે કેટલીક બેઠકો એવી છે જે ભાજપે 27 વર્ષથી કબજો મેળવી શકી નથી. તો કેટલીક બેઠકો એવી પણ છે આજદીન સુધી જીતી શકી નથી.
છ બેઠકો આજદીન સુધી ભાજપ જીત્યું નથી
ખાસ વાત એ છે કે કેશુભાઈ, નરેન્દ્ર મોદી, આનંદીબેન, વિજય રૂપાણી સીએમ હતા તે સમયથી છ એવી બેઠકો એવી છે ક્યાં જ્યાં અસર થઈ નહી અને જે બેઠકો ભાજપ જીતી શક્યા નથી. મહત્વનું છે કે, ભૂપેન્દ્ર પટેલના નેનૃત્વમાં આ બેઠકો પર ભાજપનો વિજય થાય છે કે કેમ તે સમય જ બતાવશે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે, પરંતુ એવી છ બેઠકો છે જેના પર ભાજપ આજ સુધી જીતી શક્યું નથી.
કઈ કઈ છે છ બેઠકો
ગરબાડા
દાહોદ જિલ્લાની આ બેઠક ભાજપ ક્યારેય જીતી શકી નથી, બારિયા ચંદ્રિકાબેન છગનભાઈ અહીંથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. મહુધા
આદિવાસી વિસ્તાર ધરવાતી આ બેઠક પર ભાજપનો કમળ ક્યારેય ખીલ્યો નથી, જ્યાં 2017માં કોંગ્રેસના ઈન્દ્રજીતસિંહ પરમારની જીત થઈ હતી. ઝઘડીયા
આ બેઠક ભાજપ ક્યારેય જીતી શક્યું નથી બોરસદ
આણંદ જિલ્લાની બોરસદ બેઠક ભાજપ ક્યારેય જીતી શકી નથી, હાલમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય છે. આંકલાવ બેઠક
કોંગ્રેસ છેલ્લી બંને ચૂંટણીઓમાંથી જીતી રહી છે. કોંગ્રેસના અમિત ચાવડા અહીંથી ધારાસભ્ય છે. વ્યારા
આ બેઠક પર કોંગ્રેસનો કબજો છે, 2017માં અહીં ગામીટ પુનાભાઈ ઢેડાભાઈ જીત્યા હતા.