શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ખેડૂત આંદોલનને લઈને એક મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે ખેડૂત આંદોલન માત્ર પાંચ મિનિટમાં સમાપ્ત થઈ શકે છે જો પીએમ મોદી પોતે આવીને ખેડૂતો સાથે વાતચીત કરે."
શિવસેના નેતા સંજય રાઉતની નિવેદન
ખેડૂત આંદોલનને લઈને આપ્યું નિવેદન
પીએમ મોદીને ખેડૂતો સાથે ચર્ચા કરવાનું કર્યું સૂચન
શિવસેનાના નેતા સંજય રાઉત એ ખેડૂત આંદોલન નો ઉકેલ લાવવા માટે એક સૂચન કર્યું હતું તેમણે કહ્યું હતું, પીએમ મોદી એક મોટા લીડર છે અને સૌ કોઈ તેમનું સાંભળે છે, જો તેઓ પોતે આવીને ખેડૂતો સાથે ચર્ચા કરે પછી જુઓ કેવો ચમત્કાર થાય છે, આ આંદોલન માત્ર પાંચ મિનિટની અંદર પૂર્ણ થઈ જશે.
સરકાર ઈચ્છે તો અડધા કલાકની અંદર સમાપ્ત થાય આંદોલન : સંજય રાઉત
આ મુદ્દે તેમણે કહ્યું હતું કે જો સરકાર ઈચ્છે તો આ સમસ્યાનો માત્ર અડધા કલાકની અંદર જ ઉકેલ આવી શકે છે, અને તેમાં પણ જો પીએમ મોદી આ મુદ્દે હસ્તક્ષેપ કરે તો આ આંદોલનનો ઉકેલ પાંચ મિનિટમાં જ આવી શકે તેમ છે.
નોંધનીય છે કે હાલમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સરહદનો કબજો ખેડૂતોએ છોડયો નથી અને મોદી સરકાર એ પસાર કરેલા ત્રણ નવા કૃષિ કાયદા પરત લેવાની માંગણી સાથે શરૂ થયેલું ખેડૂત આંદોલન વધુ તીવ્ર બન્યું છે અને આજે 21માં દિવસે પહોંચ્યું છે.
ખેડૂત આંદોલન મુદ્દે યોજાઇ ચૂકી છે 6 રાઉન્ડની વાતચીત
સરકાર સાથે MSP અને APMC મુદ્દે છ રાઉન્ડની વાટાઘાટો યોજાઇ ચૂકી છે અને છતાંય ખેડૂત આંદોલન નો કોઈ જ ઉકેલ આવ્યો નથી, અને બંને પક્ષો પોતપોતાનાં સ્ટેન્ડ ઉપર અડગ છે, હવે આ આંદોલન કયા પરિણામમાં પરિણમશે તે મુદ્દે કઈં પણ કહી શકાય તેમ નથી.