રાહુલ ગાંધીએ કહ્યું કે, "જો આ નવા કાયદાથી ખેડૂતો ખુશ છે તો આખા દેશમાં ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે? પંજાબમાં ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે રાહુલે કહ્યું કે કોરોનાકાળ માં આ ત્રણ કાયદા લાગુ કરવાની આટલી બધી સરકારને શું ઉતાવળ હતી?''
રાહુલ ગાંધીના મોદી સરકાર પર આકરા પ્રહાર
પંજાબમાં ખેતી બચાવો રેલીમાં ભાગ લેવા મોગા પહોંચ્યા છે રાહુલ
3 દિવસ સુધી ટ્રેક્ટર રેલી કાઢવાનું કોંગ્રેસનું છે આયોજન
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ નવા કૃષિ કાયદા ની વિરુધ્ધ ફરી એક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે, પંજાબ ના મોગામાં 'ખેતી બચાવો યાત્રા' ને સંબોધન કરતા રાહુલ ગાંધી એ કહ્યું છે કે, "જો સરકારે આ બિલ પસાર કરવું જ હતું, તો સૌ પ્રથમ લોકસભા અને રાજ્યસભામાં આ મામલે ચર્ચા થવી જોઈતી હતી."
#WATCH: Punjab: CM Captain Amarinder Singh, Congress leader Rahul Gandhi, party's state chief Sunil Jakhar take part in tractor yatra from Badhni Kalan to Jattpura as part of party's 'Kheti Bachao Yatra'. pic.twitter.com/TpXTpxcGCx
રાહુલે ખેડૂતોને કહ્યું," સત્તામાં આવશું તો કાયદાઓને ફેંકી દઇશું"
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે "તેઓ ખેડૂતો ને ખાતરી આપી છે કે જે દિવસે કોંગ્રેસ સત્તા પર આવશે તે દિવસે તેઓ આ ત્રણેય કાળા કાયદાઓને નાબૂદ કરશે અને આ કાયદાઓને ડસ્ટબિનમાં ફેંકી દેશે."
કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેઓ પંજાબના ખેડૂતો ને ખાતરી આપવા માંગે છે કે કોંગ્રેસ દેશભરમાં ખેડૂતો ની સાથે ઊભી છે અને કોંગ્રેસ તેના વચનથી એક ઇંચ પણ પાછળ નહીં ખસે. રાહુલ ગાંધીએ કહ્યું કે "નરેન્દ્ર મોદી સરકાર MSP ને નાબૂદ કરવા માગે છે અને ઈચ્છે છે કે કૃષિનું આખું બજાર અંબાણી અને અદાણી ને સોંપવામાં આવે, પરંતુ કોંગ્રેસ પક્ષ આવું થવા દેશે નહીં."
કેન્દ્ર સરકારની દાનત પર ઉઠાવ્યા સવાલો
રાહુલે કહ્યું કે જો ખેડૂતો આ નવા કાયદાથી ખુશ છે, તો પછી દેશભરમાં કેમ દેખાવો કરવામાં આવી રહ્યા છે? પંજાબમાં ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે રાહુલે કહ્યું કે કોરોના યુગમાં આ ત્રણ કાયદા લાગુ કરવાની સરકારને કેમ ઉતાવળ છે? આમ તેમણે કેન્દ્ર સરકારની દાનત પર સવાલો ઉઠાવ્યા હતા.
.. તેથી ખેડુતોને અંબાણી અને અદાણી સાથે વાત કરવી પડશે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એ કહ્યું હતું કે તેઓ માને છે કે ખેડૂતો ની પેદાશો ખરીદવા માટે હાલની સિસ્ટમમાં કોઈ ખામી છે, પરંતુ આ પ્રણાલીને સુધારવાની જરૂર છે, તેને નાશ કરવાની જરૂર નથી, કારણ કે જો આ સિસ્ટમનો નાશ થાય તો તેથી ખેડૂતો પાસે કંઈ જ બચશે નહીં અને ખેડૂતો ને સીધી અંબાણી અને અદાણી સાથે વાત કરવી પડશે અને આ વાતચીતમાં ખેડૂતો માર્યા જશે.
આ પીએમ મોદી નહીં પણ અંબાણી, અદાણીની સરકાર છે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધી એ ફરી એકવાર કહ્યું કે દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર છે, પરંતુ આ ખોટું છે, તે અંબાણી અને અદાણીની સરકાર છે. તેમણે કહ્યું કે અંબાણી અને અદાણી જ મોદી સરકાર ને ચલાવે છે. મીડિયા નો પણ આના માટે ઉપયોગ કરવામાં આવે છે. રાહુલ ગાંધી એ કહ્યું કે મોદીજી તેમના માટે જમીન સાફ કરે છે અને તેઓ મોદી જીને ટેકો આપે છે.