છત્તીસગઢમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જ્યાં એક ગામમાંથી 800 કિલો છાણની ચોરી થઇ છે.
છત્તીસગઢમાં બની અનોખી ઘટના
800 કિલો ગાયના છાણની ચોરી
1600 રૂપિયાનું છાણ ચોરાઇ ગયુ
આવી વિચીત્ર ઘટના ઘટ્યા બાદ ગામજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. રવિવારે આ વાતની જાણ થતા પોલીસ હરકતમાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, અડધી રાત્રે 800 કિલો ગાયનું છાણ ચોરાઇ ગયુ હતુ. જેની કિંમત 1600 રૂપિયા છે.
379 હેઠળ કેસ નોંધાયો
ઉલ્લેખનીય છે કે, આ છાણનો ભાવ 1600 રૂપિયા છે અને ધારા 379 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ગયા વર્ષે કોરિયા જિલ્લાના મનેન્દ્રગઢ વિકાસખંડના એક ગામમાં બે ખેડૂતોના ખેતરમાં રહેલું 100 કિલો છાણ ચોરી લીધુ હતુ.
છાણનો ઉપયોગ ખાતર બનાવવામાં થાય છે અને રાસાયણિક ખાતરથી સારુ છાણનું ખાતર માનવામાં આવે છે. ખેડૂત આ છાણને 6 મહિના સુધી ભેગુ કરે છે અને બાદમાં તેનું ખાતર બનાવી લે છે. તેની સાથે જ ઓર્ગેનિક ફાર્મિંગમાં પણ છાણનો ઉપયોગ થાય છે