વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર, દક્ષિણ એશિયામાં શાળા બંધ થવાથી 62 બિલિયન ડોલર જેટલું નુકસાન થઈ શકે છે. જો પરિસ્થિતિ વધુ બગડી તો પછી આ નુકસાન 88 અબજ ડોલર્સ સુધી પણ પહોંચી શકે છે. જો કે આ બાબતમાં સૌથી વધુ નુકસાન ભારતને ભોગવવું પડી શકે છે.
શાળાઓ બંધ રાખતા ભારતને થઈ શકે છે મોટું નુકસાન
વર્લ્ડ બેન્કની એક રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દક્ષિણ એશિયામાં સૌથી વધુ નુકસાન ભારતને ભગવવાનું આવશે: વર્લ્ડ બેન્ક
વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર, કોવિડ -19 ને કારણે લાંબા સમય સુધી શાળાઓ બંધ થવાને કારણે ભારતને 40 બિલિયન ડોલર્સથી વધુનું નુકસાન થઈ શકે છે. આ સિવાય શિક્ષણને લગતું નુકસાન જુદું છે.
ભારતને થઈ શકે છે 40 અબજ ડોલર જેટલું નુકસાન
અહેવાલમાં કહેવાયુ છે કે હાલની પરિસ્થિતિમાં, દક્ષિણ એશિયન ક્ષેત્રમાં શાળાઓ બંધ થવાને કારણે 62 અબજ ડોલર જેટલું નુકસાન થઈ શકે છે અને સ્થિતિ વધુ બગડી તો આ આંકડો 88 અબજ ડોલર જેટલો પણ થઈ શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત જો કે સૌથી વધુ નુકસાન ભોગવનાર દેશ હશે. બધા દેશો તેમના કુલ GDP નો નોંધપાત્ર ભાગ ગુમાવશે.
આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ વિસ્તારમાં હાલ ઘણા આર્થિક પડકારો છે, અને તેમાં પણ દક્ષિણ એશિયાના દેશોમાં અસ્થાયી ધોરણે શાળા બંધ થવાથી વિદ્યાર્થીઓ પર તેની ખરાબ અસર પડી રહી છે. આ દેશોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 39 કરોડ 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ શાળાઓથી દૂર છે, જેથી શિક્ષાના સંકટને રોકવામાં મુશ્કેલી પડશે.
વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મુશ્કેલ બન્યું છે : રિપોર્ટ
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઘણા દેશોએ આ સ્થિતિ બદલવા માટે પ્રયાસ કર્યો છે, પરંતુ ઓનલાઈન શિક્ષણ પ્રભાવી થયું નથી, અને એક અંદાજ પ્રમાણે 55 લાખ જેટલા વિદ્યાર્થીઓ ભણવાનું છોડી શકે છે, જેનો મતલબ છે તેઓ કાયમ માટે શિક્ષણથી દૂર થઈ જશે. અમુક દેશોમાં શાળાઓ ખોલવામાં આવી છે પણ તે માત્ર ફોર્માલિટી છે, પાંચ મહિનાથી શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓ ન માત્ર ભણતરથી દૂર થઈ જશે, અલબત્ત તેઓ શું અત્યાર સુધી પામેલું શિક્ષણ પણ ભૂલી શકે છે.
અહી એવું પણ કહેવામાં આવ્યું હતું કે દક્ષિણ એશિયામાં જે દેશો શિક્ષણ પણ જે રકમ ખર્ચ કરે છે તેમાં મોટું નુકસાન જવાની સંભાવના છે, આ રકમ અંદાજિત 62 અબજ અમેરિકન ડોલર જેટલી હોય શકે છે, જો પરિસ્થિતિ વધુ બગડી તો આ આંકડો 88 અબજ યુએસ ડોલર જેટલો થઈ શકે છે, અહી ભારતને અંદાજિત 40 અબજ યુએસ ડોલર જેટલું નુકસાન થઈ શકે છે.
ભારતમાં 16 માર્ચથી બંધ છે શાળાઓ
16 માર્ચે કોરોના વાયરસ ના ચેપને રોકવા માટે શાળાઓ અને કોલેજોને દેશભરમાં બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 25 માર્ચે કેન્દ્ર સરકારે દેશવ્યાપી લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. જોકે અનલોક 5 હેઠળ 8 મી જૂનથી તબક્કાવાર રીતે ઘણા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે, તેમ છતાં શૈક્ષણિક સંસ્થાઓ હજી પણ બંધ છે.
જો કે, નવીનતમ 'અનલોક 5 માર્ગદર્શિકા મુજબ, કોવિડ -19 વિસ્તારોની બહારની શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ 15 ઓક્ટોબરથી ફરીથી ખોલવામાં આવી શકે છે. પરંતુ આ સંસ્થાઓ ફરીથી ખોલવાના અંતિમ નિર્ણય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર છોડી દેવામાં આવ્યો છે.