ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથે કોરોના સંકટ વચ્ચે આ રીત અપનાવી કે WHO એ પણ તેમની પ્રશંસા કરી
ઉત્તરપ્રદેશમાં છેલ્લા 10 દિવસમાં 94,000 કેસ ઓછા થઈ ગયા છે
યુ. પી માં આંકડો ઘટીને 16,000 સુધી આવી ગયો છે
WHO એ યુપી સરકારની ટેસ્ટ અને સારવારની પધ્ધતિને વખાણી
ઉત્તરપ્રદેશમાં છેલ્લા 10 દિવસમાં 94,000 કેસ ઓછા થઈ ગયા છે
ઉતરપ્રદેશને કોરોનામાંથી ઉગારવા માટે યોગી સરકાર લોકડાઉનથી લઈ ઘણા બધા પરીક્ષણો પર કામ કરી રહી છે. છેલ્લા દસ દિવસમાં ઉત્તરપ્રદેશમાં એક લાખ કોરોના પોઝિટિવ કેસ ઘટી ગયા હતા અને તેમના આ કામને WHO એ વખાણ્યું છે. ઉત્તરપ્રદેશના સ્વાસ્થ્ય વિભાગનાં આંકડાઓની વાત કરીએ તો છેલ્લા 10 દિવસમાં 94,000 કેસ ઓછા થઈ ગયા છે.
યુ. પી માં આંકડો ઘટીને 16,000 સુધી આવી ગયો છે
રાજ્યમાં 30 એપ્રિલ સુધી કોરોનાની બીજી લહેર ચરમસીમા એ પહોંચી હતી. અને 30 એપ્રિલના રોજ યુપીમાં કુલ 3 લાખ 10 હજાર એક્ટિવ કેસ આવ્યા હતા, જે આંકડો હવે ઘટીને માત્ર 16,000 રહયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 21 હજારથી પણ ઓછા કેસ આવ્યા છે. આ કેસની સામે 29 હજાર લોકો સાજા થયા છે. છેલ્લા 62 દિવસમાં પહેલીવાર સંક્રમણનો આંકડો 3,29,942 એ પહોંચ્યો છે અને તેની સામે 3.55 લોકો કોરોના મુક્ત થયા. સતત પાંચમા દિવસે 24 કલાકમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખથી નીચે જઈ રહી છે.
WHO એ યુપી સરકારની ટેસ્ટ અને સારવારની પધ્ધતિને વખાણી
WHO એ યોગી સરકાર દ્વારા કરવામાં આવતા ટેસ્ટ અને સારવારની પધ્ધતિને વખાણી છે. WHOનું માનવું છે કે સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં યોગી સરકારે ગામડાઓમાં ઘરે ઘરે જઈને કોરોનાના ટેસ્ટ કરાવ્યા છે. બીજા અન્ય લોકોને સચેત કર્યા છે અને ગામડામાં પણ લોકોને હોમ આઇસોલેટ કરીને દવાઓ પહોંચાડી છે. જેના કારણે હવે બધુ સરખું થઈ રહ્યું છે. સરકારે સંક્રમિત લોકોને જલ્દીથી અલગ કરવાથી લઈ તેમની ઝડપી સારવાર કરી તેમના સંપર્કમાં આવેલા દરેક લોકોને ટેસ્ટ પણ કર્યો છે. આ વાત ખરેખર અદભૂત છે.
In #India's 🇮🇳 most populous state Uttar Pradesh, the state gov. has initiated house-to-house active case finding of #COVID19 in rural areas to contain transmission by testing people with symptoms for rapid isolation, disease management & contact tracing
👉https://t.co/pbDi98UByQpic.twitter.com/7H2yXcU0if
— World Health Organization (WHO) (@WHO) May 10, 2021