દેવરિયા જિલ્લાના DM અમિત કિશોરે માનવતાનો એક ખૂબ જ સરસ દાખલો બેસાડ્યો છે. મંગળવારે મોડી રાત્રે આ અધિકારી શહીદ BSF જવાનના ઘરે પહોંચ્યા અને તેમની પુત્રીનું કન્યાદાન કર્યું હતું. નોંધનીય છે કે શહીદ BSF જવાન અજય કુમાર જમ્મુ કાશ્મીરના ઉધમપુર ખાતે તૈનાત હતા ત્યારે ફરજ દરમિયાન એક ઘટનામાં તેમણે શહાદત વહોરી હતી.
દેવરિયાના DM અમિત કિશોરનો માનવતા પૂર્ણ અભિગમ
કાશ્મીરમાં શહીદ BSF જવાનની પુત્રીનું કર્યું કન્યાદાન
શહીદ જવાન અજયકુમારની પુત્રીના લગ્ન હતા, DM પત્ની સાથે હાજર રહ્યા
ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં, DM અમિત કિશોર મોડી રાત્રે અચાનક શહીદ BSF જવાનના ઘરે પહોંચ્યા અને તાની પુત્રીનું કન્યાદાન કર્યું હતું. આ લગ્ન સમારોહમાં DM ની પત્ની પણ હાજર હતી અને DM અમિત કિશોરે પણ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા અને એક પિતાની ફરજ બજાવી હતી.
DM અમિત કિશોરને જવાનની દીકરીએ લખ્યો હતો પત્ર
હકીકતે સલેમપુર તાબાના મઝૌલી રાજ નગરમાં રહેતા અજયકુમાર BSF ની 88 મી બટાલિયનમાં પોસ્ટ થયા હતા. જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં 25 ઓગસ્ટ 2018 ના રોજ એક ઘટના દરમિયાન તેમનું અવસાન થયું હતું. આ ઘટના બાદ શહીદ જવાન ના પરિવારજનોની હાલત કફોડી બની ગઈ હતી. મૃતક જવાનની દીકરી શિવાની રાવતે DM અમિત કિશોર સંબોધીને એક ભાવનાત્મક પત્ર લખ્યો હતો જેમાં તેણે DM ને પરિવાર સહિત તેના ઘરે આવીને તેણીનું કન્યાદાન કરવાની વિનંતી કરી હતી.
DM લગ્ન સમારંભમાં પત્ની સાથે પહોંચ્યા અને એક પિતાની ફરજ નિભાવી હતી
DM ને લખેલા આ પત્રથી તેમને યુવતીના ઘરે જવાની ફરજ પડી હતી. જે બાદ DM અમિત કિશોર તેમની પત્ની સાથે મૃતક જવાનના ઘરે પહોંચ્યા હતા અને અને શહીદ જવાનની દીકરીનું કન્યાદાન કર્યું હતું. આ દરમિયાન એક પિતાએ નિભાવવાની દરેક ફરજો તેમણે નિભાવી હતી. જો કે જ્યારે DM તેના પરિવાર સાથે યુવતીના ઘરે પહોંચ્યા, ત્યારે જવાન ના દરેક પરિવારજનો ખૂબ જ ખુશ થયા હતા.
શું કહ્યું DM અમિત કિશોરે ?
DM અમિત કિશોરે જણાવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટથી એક ગરીબને જે પ્રકારની અપેક્ષા હોય છે તે પૂર્ણ થઈ છે. તે જ સમયે, યુવતી પણ DM ના પરિવાર સહ આવવાથી ખૂબ ખુશ હતી. કન્યાએ કહ્યું કે મેં DM ને એક પત્ર લખ્યો હતો જેમાં લખ્યું હતું કે તેઓ આવીને મારુ કન્યાદાન કરે.