કચ્છના ગાંધીધામના મીઠીરોહર નજીક આવેલા એક બેનશામા શ્રમજીવી પરિવારની એક મહિલાને તેના પડોસમાં રહેતા એક યુવાને નજીવી બાબતે રહેસી નાંખી પ્રાથમીક તપાસમા બન્ને વચ્ચે પ્રેમસંબધ હોવાનુ પણ ખુલ્યુ છે. પરંતુ પરણિત મહિલાનો પતી બહાર ગયો હતો. તે દરમ્યાન જમવા બાબતે ઝધડો થતા ઉશ્કેરાયેલા યુવાને મારમારી ગળેટુંપો આપી મહિલાની હત્યા કરી નાંખી. જોકે હત્યા કરનાર યુવાન હાલ પોલિસની ગીરફ્તમા છે.
ગાંધીધામના મીઠીરોહર નજીક એક બેનશામાં કામ કરતા શ્રમજીવી પરિવારની એક મહિલાને તેનાજ પડોસમાં રહેતા એક યુવાને નજીવી બાબતે મોતને ધાટ ઉતાર્યાનો કિસ્સો સામે આવ્યો છે. ગઇકાલે સાંજે આ કિસ્સો પ્રકાશમા આવ્યો હતો.
સીમાદેવી સંજયકુમાર નામની પરપ્રાન્તીય મહિલા અને તેનો પતિ અહી રહેતા હતા પરંતુ તેને પતિ બહાર જતા પડોસમાં રહેતા મનિષકુમાર બચ્ચેરામ નામનો યુવક જેની સાથે મહિલાના પ્રેમસંબધ હોવાનુ પણ ખુલ્યુ છે. તે જમવા ગયો હતો પરંતુ જમવાનુ કેમ બરોબર બનાવતી નથી તે મુદ્દે બન્ને વચ્ચે થયેલા ઝધડામાં યુવકે તેની પ્રેમીકા મહિલાની હત્યા કરી નાંખી. જોકે ગાંધીધામ બી ડીવીઝન પોલિસે મહિલાની હત્યા કરનાર મનિષકુમારની ધરપકડ કરી છે.
યુવકની હાલ પોલિસે હત્યાના ગુન્હામાં ધરપકડ કરી છે. પરંતુ તારીખ 30ના રાત્રે હત્યા કર્યા બાદ યુવકે હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે પણ પ્રયત્ન કર્યો હતો. પરંતુ ગઇકાલે સાંજે કિસ્સો સામે આવ્યા બાદ યુવતીની હત્યા થઇ હોવાનુ ખુલ્યુ હતુ અને પોલિસે તપાસ કરી થોડા કલાકોમાંજ યુવકની અટકાયત કરી હતી અને પ્રાથમીક પુછપરછ બાદ પોલિસે તેની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.