એક્ટ્રેસે કોરોના સંકટના આ સમયમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટેનો નિર્ણય કર્યો છે અને તે લોકોને રસ્તા પર મેડિકલ હેલ્પ અને ભોજન આપી રહી છે.
વૈશાલી એક ગ્રુપ સાથે મળીને લોકોની મદદ કરી રહી છે. ઇટાઇમ્સ સાથે વાત કરતા તેણે કહ્યું કે તે એક સ્ટુડન્સ ગ્રુપ સાથે મળીને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહી છે અને તે આ સમયમાં ખુબ પરેશાન છે. તે કોઇ પણ ઉત્સવ કે વિવાહ અને ભારતની બહાર જવા માટે વિચારી શકે તેમ નથી.
એક્ટ્રેસે આગળ જણાવ્યું કે, મે હાલની સ્થિતિને જોતા પોતાના લગ્નને કેન્સલ કરી દીધા છે. મને આવા માહોલમાં સેલિબ્રેશનનો અહેસાસ પણ નથી થઇ રહ્યો. લોકો મરી રહ્યાં છે અને પરેશાન છે ત્યારે આ વર્ષે નવુ જીવન શરૂ કરવાનો મારો ઇરાદો નથી. આવતા વર્ષે જ્યારે પરિસ્થિતિ સારી થઇ જશે ત્યારે હું લગ્ન કરીશ.
હાલ ભારતમાં સૌથી વધારે લોકો પ્રભાવિત થયા છે ત્યારે હું કોઇ સેલિબ્રેશન કે લગ્ન વિશે વિચારી પણ શકતી નથી. દેશથી બહાર જવાના મૂડમાં પણ હુ નથી. મારી આસપાસ લોકો પિડીત છે અને લોકો મરી રહ્યાં છે ત્યારે આ પ્રકારનુ પગલુ ભરવુ યોગ્ય નથી.
આ સંકટના સમયમાં એક્ટ્રેસ લોકોને મદદ પહોંચાડી રહી છે. આ વિશે તે વિસ્તારમાં જણાવે છે અને કહે થે કે, હું કોરોનાથી જોડાયેલી નિરાશાજનક ખબરો વાંચી અને સાંભળી રહી છુ. જેનાથી રોજ લોકો પ્રભાવિત થઇ રહ્યા છે. લોકો રસ્તા પર ભૂખ્યા મરી રહ્યાં છે કારણકે તેમની પાસે ખાવા માટે કંઇ નથી. લોકો ઓક્સિજન, દવા અને પ્લાઝમા કે મેડિકલ હેલ્પ વગર મરી રહ્યાં છે. હું હાલમાં ઇન્દોરમાં છુ અને એક સ્ટુડન્ટ ગ્રુપ સાથે મળીને લોકોની મદદ કરી રહી છુ. આ તે વિદ્યાર્થીઓની મદદ કરે છે જેમની પાસે ફી ભરવાના પૈસા નથી. હું પણ આવા સમયમાં બેસી રહેવા નહોતી માંગતી