સમગ્ર ભાવનગર જિલ્લામાં ગુલાબ વાવાઝોડાની અસરથી છેલ્લા બે દિવસથી અનારાધાર વરસાદ વરસી રહયો છે જેના કારણે તળાજામાં ભારે વરસાદ બાદ તારાજી જેવો માહોલ ઉભો થયો
તળાજામાં વરસાદે તારાજી સર્જી
સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ઘૂસ્યા પાણી
દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા
સમગ્ર ભાવનગર જિલ્લામાં ગુલાબ વાવાઝોડાની અસરથી છેલ્લા બે દિવસથી અનારાધાર વરસાદ વરસી રહયો છે.મંગળવારની રાત્રીથી વીજળીના કડાકા,ભડાકા અને ભારે પવન સાથેના વરસાદ અને બુધવારે બીજા દિવસે પણ દિવસભર અવિરત વરસાદથી સમગ્ર વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા
તળાજામાં વરસાદે તારાજી સર્જી
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરથી સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, ભારે વરસાદની કારણે નદી, નાળા, ચેકડેમ છલોછલ થઈ ગયા છે. એક તરફ ભારે વરસાથી નદીઓ પણ ગાડીતૂર બની છે, જેના કારણે ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ તરફ ભાવનગરના તળાજામાં ભારે વરસાદની બાદ તારાજી જેવો માહોલ ઉભો થયો છે.
સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ઘૂસ્યા પાણી
વનગરમાં ધોધમાર પડેલા વરસાદને કારણે સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં પાણી ઘૂસી જતા દર્દીઓને હાલકી ભોગવવાનો વારો આવ્યો છે. જો કે તંત્ર દ્વારા દર્દીઓને તાત્કાલિક ટ્રેક્ટર વડે બહાર કાઢી બચાવ કામગીરી હાથ ધરાવામાં આવી હતી.
દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થયા હતા, જેને કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીમાં મુકાવવુ પડ્યું હતું, તંત્રની બેદરકારી અને પ્રિમોન્સુનની નબળી કામગીરીને કારણે વોર્ડમાં પાણી ઘૂસી ગયા હતા જેના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા 15 જેટલા દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
ભાવનગર શહેરનું બોરતળાવ અને વિકટોરિયા પાર્ક સ્થિત કૃષ્ણસાગર તળાવ છલકાતા આસપાસની સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીમાં કેડસમા પાણી ભરાતા લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા હતા. પાણી ભરાવાના કારણે લોકોના વાહનો પણ ડૂબ્યા હતા. તંત્ર દ્વારા સોસાયટીની દીવાલ તોડી પાણી કાઢવાનો પ્રયાસ કરાયો હતો.