રાજપીપળા: રાજપીપળાઃ ગુજરાત રાજ્ય માટે ખુશીના સમાચાર છે. ગુજરાતના જીવાદોરી સમાન સરાદર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદ અને બરગી તેમજ અન્ય ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે સરદાર સરોવર ડેમમાં દર કલાકે 3 થી 4 સેમીનો વધારો થઈ રહ્યો છે. હાલ ડેમમાં 40 હજાર 674 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ડેમની જળસપાટી 121.45 મીટરે પહોંચી છે. જેના કારણે પાવર હાઉસના 2 યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે અને મેઈન કેનાલમાં 7 હજાર 24 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસનો વિસ્તાર મધ્યપ્રદેશમાં છે. જે આ નર્મદા ડેમનો કેચમેન્ટ વિસ્તાર છે. જયાં ચોમાસાની સિઝનના પ્રારંભમાં પૂરતો વરસાદ થયો ન હતો. પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં મેઘ મહેર થતા નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.