અમદાવાદમાં કોરોનાના વધતા કેસને લઈ રિવરફ્રન્ટ વોક-વે નાગરિકો માટે બંધ કરાયું. વોક-વે પર સાયકલિંગ કરતા લોકો માટે પણ પ્રતિબંધ મૂકાયો
અમદાવાદ કોરોનાને લઈને AMC વધુ એક નિર્ણય
રિવરફ્રન્ટ વોક વે પણ નાગરિકો માટે રહેશે બંધ
વોક વે પર સાયકલિંગ કરતા લોકો માટે પણ પ્રતિબંધ
અમદાવાદમાં કોરોનાના વધતા કેસ બાદ તંત્ર સક્રિય બન્યું છે. ત્યારે AMC દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરાયો છે. જેમાં રિવરફ્રન્ટ વોક-વે પણ નાગરિકો માટે રહેશે બંધ રખાશે. મહત્વનું છે કે, રિવરફ્રન્ટ પર વોક-વે પર સાયકલિંગ કરતા હોય છે. જેના માટે પણ હવે પ્રતિબંધ કરાયો છે. સાથે બાયોડાયવર્સિટી પાર્ક પણ બંધ કરવામાં આવશે. આવતીકાલથી તમામ પબ્લિક પ્લેસ બંધ કરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1122 નવા દર્દી જ્યારે 775 દર્દીઓ સાજા થયાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 3 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.
અમદાવાદના મેયરે લોકોને કરી અપીલ
અમદાવાદમાં કોરોનાના વધતા કેસને લઇને મેયરે અપીલ કરી છે. કોરોના મામલે અમદાવાદ મેયરની જનતાને અપીલ કરતા જણાવ્યુ છે કે, નાગરિકો બિનજરૂરી મેળાવડા ટાળે. તેમજ નાગરિકો માસ્ક પહેરે, સામાજિક અંતરનું પાલન કરેનાગરિકો માસ્ક પહેરે, સામાજિક અંતરનું પાલન કરે. આ સાથે અમદાવાદ કોર્પોરેશન દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી રહી છે.
PM મોદીએ પણ કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી
દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને રસીકરણ અભિયાન પર વધુ જોર આપવા મુદ્દે અપીલ કરી હતી. ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તાબડતોબ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કોરોના સંક્રમણ અટકાવવાની મોટી કાર્યવાહીના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકા શહેરના 35 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવાનો નિર્ણય કર્યો છે. તો કોવિડ હોસ્પિટમાં વધારો કરવામાં કમર કસી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાના કેસોને લઈ ખાનગી હોસ્પિટલોમાં 2400 બેડની ફાળવણી કરવામાં આવી છે.
અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વણસી
આપને જણાવી દઇએ કે, રાજ્યના 4 મહાનગરો પૈકી અમદાવાદ અને સુરતમાં કોરોનાની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો ગોતા, થલતેજ, પાલડી, બોડકદેવના વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધ્યું છે. તો આ તરફ મણિનગર, બોપલ વિસ્તારમાં પણ કોરોનાની સ્થિતિ વણસી છે.