ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં કશ્મીરી પંડિતો સાથે વિસ્થાપનનું દુ:ખ સામે આવ્યા બાદ આ વખતે 2 એપ્રિલે કશ્મીરી પંડિતો ફરી એક વાર કશ્મીરમાં વાપસી કરશે.
ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ હાલમાં ખૂબ ચર્ચામાં છે
આ ફિલ્મ દ્વારા લોકોને કશ્મીરી પંડિતોના દુ:ખની કલ્પના થઈ
હવે કશ્મીરી પંડિતો કશ્મીરમાં વાપસી કરશે
ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં કશ્મીરી પંડિતો સાથે વિસ્થાપનનું દુ:ખ સામે આવ્યા બાદ આ વખતે નવા વર્ષે એટલે કે, નવરેહ (કાશ્મીર નવુ વર્ષ) પર ઘાટીમાં પંડિતોની વાપસીનો અવાજ બુલંદ થશે. દેશભરમાં કશ્મીરી પંડિતો નવરેહ મનાવવા માટે 2 એપ્રિલે ઘાટીમાં પહોંચશે.
તમામ ધર્મના લોકોને એકસાથે લાવવાની કોશિશ
જમ્મુથી બસ દ્વારા કશ્મીરી પંડિતો ઘાટીમાં જઈને લીલા પર્વત પર માં શારિકા મંદિરમાં પૂજા અર્ચનાની સાથે જ પંડિતોની વાપસીનું કામ કરશે. સાર્વજનિક સમારંભ કરીને વાપસી માટે અનુકૂળ માહોલ બનાવાનો પ્રયાસ કરવામાં આવશે. જેનાથી તમામ ધર્મો તથા સંપ્રદાયના લોકો સામેલ હશે. ભાજપ નેતા ડો. સુબ્રમણ્યમ સ્વામી તથા શિવાસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પણ આ અવસરે સાક્ષી બનશે.
બે એપ્રિલે પંડિતો ભેગા થશે
જેકે પીસ ફોરમ તરફથી દેશભરના કશ્મીરી પંડિતોને નવરેહ પર બે એપ્રિલે કશ્મીરમાં ભેગા થવાની તૈયારી કરી રહ્યા છે. જે અંતર્ગત શારિકા મંદિરમાં પૂજા અર્ચનની સાથે જ શેર એ કશ્મીર પાર્કમાં નવરેહ મિલન કાર્યક્રમનું આયોજન થશે. ઘાટીમાં ભાઈચારાને વધારવાની સાથે જ પંડિતોને સન્માનજનક વાપસીનો અવાજ બુલંદ કરવામાં આવશે.
લોકો વચ્ચે સન્માનની ભાવના જગાડશે
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય 30 વર્ષથી વિસ્થાપનની વચ્ચે ધાર્મિક-સાંસ્કૃતિક રીતિ રિવાજોથી નવી પેઢીને માહિતગાર કરવા અને ડરથી ઘરબાર છોડવા મજબૂર બનેલા લોકો માટે સુરક્ષા તથા આત્મ સન્માનની ભાવના જગાડવાનો છે. ફોરમના ચેરમેન સતીશ મહાલદારે જણાવ્યું હતું કે, આ વખતે પ્રયત્નો રહેશે કે, તમામ ધર્મના લોકો એક મંચ પર આવે. તેના માટ આંતર સમુદાય સાંસ્કૃતિક મહોત્સવ પણ કરાવામાં આવશે. કોશિશ રહેશે કે, તમામ લોકો એકબીજાની ભાવનાને સમજે અને એકબીજા પ્રત્યે સન્માનની ભાવના જાગે.
મોહન ભાગવત કરશે સંબોધન
સર સંઘચાલક ડો. મોહન ભાગવત પણ નવરેહ પર આ વખતે ઓનલાઈન સંબોધન કરશે. સંજીવની શારદા કેન્દ્ર જમ્મુના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન ત્રણ એપ્રિલે થશે. મોહન ભાગવત ગઈ વખતે સંબોધન કરવાના હતા. પણ તબિયત સારી ન હોવાના કારણે તે શક્ય ન બન્યું.