The virus sticks to the thyroid gland even after the corona is negative: a new study reveals
સંશોધન /
કોરોના નેગેટિવ થયા બાદ પણ થાયરૉયડ ગ્રંથિમાં ચોંટેલો રહે છે વાયરસ: નવી સ્ટડીમાં થયો મોટો ખુલાસો
Team VTV10:13 AM, 30 Jun 22
| Updated: 10:16 AM, 30 Jun 22
સંશોધકોએ જણાવ્યું હતું કે મધ્યમથી ગંભીર ચેપ દરમિયાન, થાઇરોઇડ ગ્રંથિ પર બળતરાની સ્થિતિ પણ હોય છે.
કોરોનાને લઇને થયો મોટો ખુલાસો
કોરોના નેગેટિવ બાદ પણ રહે છે કોરોના વાયરસ
થાઇરોઇડ ગ્રંથિથી ચોંટેલો મળ્યો કોરોના વાયરસ
પોસ્ટ કોવિડ દર્દીઓમાં લાંબા સમય સુધી દેખાઇ અસર
કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની થાઈરોડ ગ્રંથિ પર વાયરસ ચોંટેલો જોવા મળ્યો
કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા દર્દીઓની થાઇરોઇડ ગ્રંથિ પર વાયરસ એક વર્ષ સુધી ચોંટી ગયેલો જોવા મળ્યો હતો. ઈટાલીની મિલાન યુનિવર્સિટીના સંશોધકોએ અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરી છે. અધ્યયન મુજબ, એવા દર્દીઓ મળી આવ્યા હતા જેમને કોરોના ચેપનું ગંભીર સ્વરૂપ હતું. તેમનામાં પોસ્ટ કોવિડ હેઠળ લાંબા સમયથી ચેપની અસર જોવા મળી રહી છે.
સંક્રમણ દરમિયાન, થાઇરોઇડ ગ્રંથિ પર અસર પડે છે.-નિષ્ણાંતો
નેગેટિવ હોવા છતાં પણ આ લોકો સંપૂર્ણ સ્વસ્થ નથી. આમાંના ઘણા લોકોમાં, થાઇરોઇડ ગ્રંથિમાં ચેપની હાજરી મળી આવી છે. સંશોધકોએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ દરમિયાન, થાઇરોઇડ ગ્રંથિ પર બળતરાની સ્થિતિ પણ હોય છે.
હોર્મોન અસંતુલન વધે છે
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હોર્મોનનું અસંતુલન સામાન્ય રીતે હળવું હોય છે પરંતુ કોરોનાના ગંભીર કેસોમાં તે નોંધપાત્ર રીતે વધી જાય છે. મિલાન યુનિવર્સિટીના ઇલેરિયા મુલરે કહ્યું, "થાઇરોઇડ ગ્રંથિ અને ચેપ વચ્ચે સ્પષ્ટ કડી છે." તેથી, થાઇરોઇડ હોર્મોન રોગની તીવ્રતા સાથે સંબંધિત છે કે કેમ તે જાણવું મહત્વપૂર્ણ છે.
કોરોના: નવા દર્દીઓમાં 25 ટકાનો વધારો
દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો છે. છેલ્લા એક દિવસમાં ચેપના નવા દર્દીઓમાં લગભગ 25 ટકાનો વધારો નોંધાયો છે. એટલું જ નહીં, દેશમાં કોરોના ચેપનો દૈનિક અને સાપ્તાહિક સંક્રમણ દર પણ લગભગ સમાન થઈ ગયો છે, જ્યારે તપાસનો વિસ્તાર હજુ પણ મર્યાદિત છે.