મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં પીડિતોએ સ્વજનો ગુમવવાની દુ:ખ અને દર્દ ભરી વેદનાઓ ઠાલવી છે, 'જયસુખ પટેલને ફાંસી આપો,એજ ન્યાય'
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિતોએ વ્યક્ત કરી વેદના
પીડિતોના આંખના આંસુ હજુ સુકાતા નથી
જયસુખ પટેલને ફાંસી આપો,એજ ન્યાય: પીડિત
મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું હતું. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની રૂહકાંપ દુર્ઘટનામાં 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો અને મોરબી પંથક તે સમય મરણચીસોથી ગુંજ્યું હતું. જે દુર્ઘટનાને લઈ સૌ કોઈની એક જ માગ હતી તેના દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે. જે બાદ આજે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. તેની સબ જેલમાંથી મોરબી પોલીસને કસ્ટડી સોંપાઇ છે. મૃતકના પરિજનો દ્વારા જયસુખ સામે વિરોધ અને હાય હાયના સૂત્રોચાર કરવામાં આવ્યો હતા. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં પીડિતોએ સ્વજનો ગુમવવાની દુ:ખ અને દર્દ ભરી વેદનાઓ ઠાલવી છે.
મોરબી ઝૂલતા પુલમાં પીડિતોએ વ્યક્ત કરી વેદના
મોરબી ઝૂલતા પુલમાં પીડિતોએ દર્દ, દુ:ખ અને જીવનમાં ક્યારેય ભૂલી શકાય ન તેવી હર્દયકંપી વેદનાઓ વ્યક્ત કરી છે. દુર્ઘટનાના દિવસો જરૂરથી વિત્યા છે પરંતુ પરિજનોની યાદો, વ્યાકુળતા પોતાની ગુમવવાની તકલીફો આજે પણ એજ છે, પીડિતોના આંખના આંસુ હજુ સુકાતા નથી. પીડિતોઓએ આક્ષેપ કર્યો છે કે, જયસુખ પટેલના કોર્ટમાં સરેન્ડર સમયે અમારા પર બળપ્રયોગ કર્યો છે અને તેમણે માગ કરી છે કે, જયસુખ પટેલને ફાંસી આપો,એજ સાચો ન્યાય છે. જયસુખ પટેલને આશરો કોણે આપ્યો તેની તપાસ થવી જોઇએ. મૃતકના પરિજનોએ કહ્યું કે, અમારી ફાંસીની સજા આપવા માગ છે.
મૃતકના પરિજનોએ હોબાળો મચાવ્યો હતો
મોરબી બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. જેને મોરબીમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જયસુખ પટેલને પોલીસ કોર્ટ બહાર લઈ જતા હોબાળો મચ્યો હતો અને મૃતકના પરિવારજનો દ્વારા હોબાળો મચાવી જયસુખ પટેલ સામે વિરોધ ઠાલવ્યો હતો. પરિવારજનોને ગુમવનારા લોકોએ જયસુખ પટેલ વિરુદ્ધ હાય હાય અને મુર્દાબાદના નારા લગાવ્યા હતા.
સરકારી વકીલનું નિવેદન
સરકારી વકીલ એસ.કે વોરાનું મહત્વનું નિવેદન સામે આવ્યું હતુ. તેમણે જણાવ્યું છે હતું કે, જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. તેની પોલીસ રિમાન્ડની અરજી કરવામાં આવશે. જયસુખ પટેલને કોને કોને આશરો આપ્યો છે તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જયસુખ પટેલની રિમાન્ડમાં અનેક ખુલાસા થઈ શકે છે. હાલ 304 મુજબ ગુનો દાખલ થયો છે, જેમાં આજીવન કેદની પણ જોગવાઈ છે.