દાતી મહરાજ વિરૂદ્ધ બળાત્કારનો આરોપ લગાવનાર પીડિતાએ મીડિયા સમક્ષ વધુ એક ચોકાવનારૂ નિવેદન આપ્યું છે અને ખુલીને વાત પણ કરી છે. પીડિતાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે આશ્રમમાં અન્ય મહિલાઓ સાથે પણ બળાત્કાર થયા છે.ત્યારે પોલીસની કામગીરી આ દિશામાં કેમ ઢીલી છે.
આ ઉપરાંત પીડિતાએ વધુમાં કહ્યું કે મારા પર આર્થીક વ્યહવારનો આરોપ લગાવ્યો છે. તે તદ્દન ખોટો છે. આશ્રમમાથી અન્ય મહિલાઓ પણ ફરાર થઈ ગઈ છે. તે પણ તપાસનો એક વિષય છે. આ ઉપરાંત પીડિતાએ જણાવ્યું હતું કે તે એક સાધ્વીના કારણે ભોગ બની હતી અને તેની સાથે અન્ય મહિલાઓ પણ ભોગ બની ચુકી છે.
મહત્વનું છે કે મહિલાએ દાતિ મહારાજ અને અન્ય બે સેવક પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. દિલ્લીના શનિધામમાં અને રાજસ્થાનના આશ્રમમાં બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લગાવ્યો છે અને આ મામલે મહિલાએ દિલ્લી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.
મહિલાએ જણાવ્યું હતું કે તેને સાધ્વીએ કહ્યું હતું કે તારી જેમ અન્ય યુવતીઓ પણ દાતિ મહારાજ સાથે સુઈ જાય છે. તેમાં કંઈ ખોટું નથી. આ ઉપરાંત પીડિતાનો આક્ષેપ છે કે દાતિ મહારાજે દુષ્કર્મ આચર્યા બાદ તેને ધમકી પણ આપી હતી અને પોલીસ કે અન્ય કોઈને જાણ ન કરવા ધમકી આપી હતી.