રાજ્યમાં છેલ્લાં નવ વર્ષથી વાઈબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે એ પ્રકારના ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટના વિચાર બીજ છેક 1902ના વર્ષમાં રોપાઈ ગયા હતા. ગ્લોબલ સમિટ પ્રકારનું જ આયોજન આજથી સવાસો વર્ષ પહેલા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. તેને સાબિતી આપતા પુસ્તકો પણ ઉપલબ્ધ છે. જોઈએ ઈતિહાસમાં સચવાયેલા વિકાસના બીજનો આ અહેવાલને.
રાજયમાં હાલ વાયબ્રન્ટ ગુજરાત હેઠળ 9મી ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ ચાલી રહી છે. સરકાર વૈશ્વિક સમિટનું આયોજન કરીને દેશ-વિદેશના ઉદ્યોગોને ભારતમાં લાવવાનો અને રોકાણ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઉદ્યોગોથી ભારતમાં નવી રોજગારીનું સર્જન થાય..દેશને નવી ગતિ મળે તેવા આશયથી આયોજન કરવામાં આવી રહ્યું છે.
છેલ્લા નવ વર્ષથી રાજ્યમાં થતાં આ પ્રકારનું આયોજનમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ પોતાના કોન્સેપ્ટ સાથે આ સમિટમાં ભાગ લઇ રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દેશમાં યોજાતી બીજા ઇવેન્ટ કરતાં પોતાનું એક અલગ જ સ્થાન અને ઓળખ ધરાવે છે. માનવામાં આવે છે કે આ પ્રકારનું આયોજન દેશના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેદ્ર મોદીની દીર્ધદ્રષ્ટિનું પરિણામ છે.
જોકે આધુનિક સમયમાં વાબ્રન્ટ સમિટના નવતર વિચારના દ્રષ્ટી તરીકે ભલે નરેદ્ર મોદીનું નામ લેવાઈ રહ્યું હોય પરંતુ વીતેલા જમાનામાં આજથી સવાસો વર્ષ પહેલા આ પ્રકારનો વૈશ્વિક વિચાર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા અમલમાં મૂકાયો હતો.તમને જાણીને નવાઈ લાગશે પણ વર્ષ 1902માં સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા અમદાવાદમાં ઉદ્યોગો અને ખેતીક્ષેત્રે વિદેશમાં વપરાતી આધુનિક તકનીકો અને તેને લગતા પુસ્તકોના પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાતની સાક્ષી ઈતિહાસ અને પુસ્તકો પૂરી રહ્યા છે.
સવાસો વર્ષ પહેલા અમદાવામાં એક વૈશ્વિક પ્રદર્શન યોજાયું હોવાનો ઉલ્લેખ સર સયાજીરાવ ગાયકવાડના વ્યાખ્યાનો નામના પુસ્તકમાં પણ કરવામાં આવેલો છે. વર્ષ 1902ની 15 ડિસેમ્બરના દિવસે સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા અમદાવાદમાં ઔધોગિક પ્રદર્શને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.
આ દરમિયાન સર સયાજીરાવ ગાયકવાડે પોતાના ભાષણમાં કહ્યું હતું કે- દુષ્કાળ અને વધતી જતી દરિદ્રતા આ ઉપરાંત ચારેબાજુના રોગો ચિંતાનો વિષય છે અને એ જ આપણી ખરેખરની અંદરની નબળાઈ છે તેનો પ્રતિકાર કરવા માટે આપણે કંઇક કરવું જોઇએ. તે જમાનામાં પણ સર સયાજીરાવ ગાયકવાડે પોતાના ભાષણમાં કહ્યું હતું કે-"આ પ્રદર્શનની મદદથી છૂટા છૂટા તંતુઓ એકઠા થાય છે. અલગ-અલગ વેપારના માણસો એકબીજાના ધંધામાં ક્યા ક્યા પ્રકારના સુધારા થયા છે અને તે એક બીજાને કેવી રીતે મદદ કરી શકે તેનો પણ ખ્યાલ આપે છે."
દુષ્કાળ અને વધતી જતી દરિદ્રતા આ ઉપરાંત ચારેબાજુના રોગો ચિંતાનો વિષય છે અને એ જ આપણી ખરેખરની અંદરની નબળાઈ છે તેનો પ્રતિકાર કરવા માટે આપણે કંઇક કરવું જોઇએ. આ પ્રદર્શનની મદદથી છૂટા છૂટા તંતુઓ એકઠા થાય છે. અલગ-અલગ વેપારના માણસો એકબીજાના ધંધામાં કયા કયા પ્રકારના સુધારા થયા છે અને તે એક બીજાને કેવી રીતે મદદ કરી શકે તેનો પણ ખ્યાલ આપે છે.
વડોદરાની મધ્યસ્થ લાઈબ્રેરીના અનેક પુસ્તકોમાં એ વાતનો ઈતિહાસ અક્ષરોરૂપે હજુ પણ સચવાયેલો છે. આજથી સવાસો વર્ષ પહેલાની રૂઢીચુસ્ત સમાજના વાતાવરણમાં પરદેશી ટેકનોલોજી અપનાવવા માટે સમાજમાં પહેલ કરવી તે વાત સયાજીરાવ ગાયક વાડ ત્રીજાની દીર્ઘદ્રષ્ટિની સાબિતી આપે છે. રાજ્ય સરકારના વાઈબ્રન્ટ ગુજરાત સમીટને લઈને ઘણીવાર રાજકારણ થતું હોય છે. અને આ ઈવેન્ટસના ફાયદા-નુકસાનની વાતો પણ થતી હોય છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમ દેશના વિકાસ માટે ઉપયોગી સાબીત થઈ શકે તે વાતનો ખ્યાલ વર્ષ 1902માં કરેલા સરસયાજીરાવના ઔધોગિક મેળાના આયોજનથી સમજી શકાય છે.