ચાલુ સાલ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કર્ણાટકમાં ચૂંટણીના આગમનને લઈને ભાજપે અત્યારથી જ તૈયારીનો ધમધમાટ આદરી દીધો છે. ભાજપએ જે રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે તે રાજ્યમાં પોતાના પ્રભારી અને સહ-પ્રભારીની નિમણૂક કરવાનું શરૂ કરી દીધું છે. આ તમામ વચ્ચે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાને કર્ણાટકના ચૂંટણી સહ-પ્રભારી તરીકે અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે. વધુમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ તમિલનાડુના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈને ચૂંટણી સહ-ઈન્ચાર્જની જવાબદારી આપવામાં આવી છે.
BJP leader and Union Health Minister Mansukh Mandaviya has been appointed as election co-incharge for Karnataka elections 2023 pic.twitter.com/62LqczUUSm
એપ્રિલ માસમાં ચૂંટણી યોજાય તેવા ભણકારા
ભાજપે આ મામલે નિમણુક પાત્રો જાહેર કરી સત્તાવાર રીતે જાહેરાત કરી છે.આવી સ્થિતિ વચ્ચે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ દાવો કર્યો છે કે સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોને કારણે ભાજપ આ ચૂંટણીમાં કર્ણાટકમાં પોતાના દમ પર સત્તા પર આરૂઢ થશે. ભાજપના તમમાં આગેવાનો અનેક કાર્યકરો એક એકજૂટ છે. મહત્વનું છે કે આ ઉપરાંત તેમણે એપ્રિલ પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા પણ દર્શાવી છે.
એ દિવસો ગયા જેમાં..
વધુમાં તેમણે ભાજપના કાર્યકરો અને નેતાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને ગામડે ગામડે અને લોકોના ઘરે-ઘરે પહોંચાડવા આહ્વાન કર્યું હતું. વધુમાં મહિલાઓ, યુવાનો અને અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ સમુદાયનું સમર્થન મેળવવા મહેનતમાં લાગી જવા હુંકાર કર્યો છે. વધુમાં તેઓએ ઉમેર્યું કએ કોંગ્રેસના એ દિવસો ગયા જેમાં સત્તા મેળવવા માટે પૈસા, મસલ પાવર અને જાતિવાદની રાજનીતિનો ઉપયોગ કરવામાં આવતો હતો.