ક્રિકેટર્સના ફેન્સ હોય અને દુશ્મનો પણ, ઓસ્ટ્રેલિયામાં પોલીસે બુધવારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટુઅર્ટ મેકગિલના અપહરણથી જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે.
દિગ્ગજ ક્રિકેટરનું અપહરણ
સિડનીથી થયુ હતુ અપહરણ
ચાર શખ્સને ઝડપી લેવામાં આવ્યા
ઘટના ગયા મહિને ઘટી હતી જ્યાં મેકગિલને સિડનીના ઘરમાંથી કથિત રીતે અપહરણ કરવામાં આવ્યુ હતુ. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે 14 એપ્રિલે પીડિતની ઓળખાણ 50 વર્ષના મેકગિલના રૂપમાં આપી હતી. મેકગિલના ઘરેથી તેનુ અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. કથિત રીતે ખેલાડીને દક્ષિણ પશ્ચિમના એક શહેરમાં લઇ જવામાં આવ્યા હતો અને તેને છોડ્યા પહેલા મારવાની ધમકી પણ આપવામાં આવી હતી.
રેડ પાડીને પોલીસે કરી ધરપકડ
રિપોર્ટનુ જો માનીએ તો મેકગિલના અપહરણની જાણકારી મળી ત્યારે સિડનીમાં કેટલાક ઘરમાં રેડ પાડવામાં આવી હતી અને ચાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે પકડાયેલા લોકોના નામ હજુ બહાર આવ્યા નથી પરંતુ તેમની ઉંમર 27, 29, 42 અને 46ની કહેવામાં આવી રહી છે. સ્થાનીય સમય અનુસાર તેમને સવારે 6 વાગે પકડવામાં આવ્યા હતા.
મેકગિલ પૂર્વ લેગ સ્પિનર છે જેણે ઓસ્ટ્રેલિયા માટે 1998થી 2008 વચ્ચે 44 ટેસ્ટ મેરમાં 208 વિકેટ લીધી છે. મેકગિલે 1998માં સાઉથ આફ્રીકા વિરુદ્ધ ટેસ્ટ મેચથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ. તેમણે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 2008માં પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રમી હતી. મેકગિલના કરિયર દુર્ભાગ્યથી શેન વોર્નના કારણે પ્રભાવિત થયુ હતુ.
IPLમાં રમતા ખેલાડીઓ માટે ઓસ્ટ્રેલિયાના દરવાજા બંધ
ભારતમાં આઇપીએલ ફીવર એવો તો ચડ્યો હતો કે કેટલાક વિદેશી ખેલાડીઓ સિઝન છોડીને વતન પરત ફર્યા હતા. ત્યારે આ દેશના પીએમએ તેમના ખેલાડીઓને આવવાની મંજૂરી આપી નથી.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મૉરિસને ભારતમાં કોરોનાના કેસને જોતા પોતાના દેશના ખેલાડીઓ કે જે આઇપીએલમાં રમી રહ્યાં હતા તેમને પરત આવવાની ના પાડી છે. પ્રધાનમંત્રીના આ નિર્ણયથી કોમેન્ટેટર સ્લેટર ખુબ નારાજ છે અને આ નિર્ણયને તેણે અપમાનજનક ગણાવ્યો છે.
કોમેન્ટેટરે કહ્યું કે, જો ઓસ્ટ્રેલિયન સરકારને દેશની સુરક્ષાની ચિંતા છે તો તેઓ જલ્દી જ ખેલાડીઓને પરત આવવાની પરવાનગી આપે. ઓસ્ટ્રેલિયન લોકો માટે આ નિર્ણય ખુબ આઘાતજનક છે. જો કોઇ પણ ઓસ્ટ્રેલિયાઇ ખેલાડી કે સ્ટાફ સાથે દુર્ઘટના ઘટશે તો તેના જવાબદાર વડાપ્રધાન મૉરિસન રહેશે.
વધુમાં તેણે જણાવ્યું કે, આઇપીએલમાં કામ કરવા માટે સરકારે જ પરમિશન આપી હતી અને હવે તે જ પરત આવવાની પરવાનગી નથી આપી રહ્યાં. સાથે જ વડાપ્રધાને કહ્યું કે જો આ નિયમનો કોઇ ભંગ કરશે તો તેને દંડ ફટકારવામાં આવશે.