કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે વડાપ્રધાન મોદીને લઈને એક નિવેદનમાં કહ્યું હતું કે 'મોદીજીએ પોતાની જીદ છોડી દેવી જોઈએ. આ ખેડૂતોની વાત છે. આવી જીદ કોઈ માટે સારી નથી. ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવા જોઈએ."
વડાપ્રધાને પોતાની જીદ છોડી દેવી જોઈએ : દિગ્વિજયસિંહ
ખેડૂત કાયદાઓને લઈને મોદી સરકાર માટે આપ્યું નિવેદન
આ ખેડૂતોની વાત છે, ત્રણેય કાયદાઓ પાછા ખેંચી લેવા જોઈએ: કોંગ્રેસ નેતા
મધ્યપ્રદેશના પૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો ના આંદોલન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે વડા પ્રધાન મોદી પાસે માંગણી કરી હતી કે તેઓ તેમની 'જીદ' છોડી અને ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચે. કોંગ્રેસ નેતાનું કહેવું છે કે આવી 'જીદ' કોઈ માટે સારી નથી.
'વડા પ્રધાને પોતાની જીદનો ત્યાગ કરવો જોઈએ': દિગ્વિજય સિંહ
ખેડૂતોના પ્રશ્નો પર રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સાથે વિપક્ષી નેતાઓની બેઠક અંગે સિંહે કહ્યું હતું કે તેમને રાષ્ટ્રપતિ પાસેથી કોઈ આશા નથી. કોંગ્રેસના નેતાએ ખેડૂતો ના પ્રશ્નોના નિરાકરણ માટે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવાની વાત કરી છે.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, ' વડાપ્રધાન મોદીજીએ પોતાની જીદને છોડી દેવી જોઈએ, આ ખેડૂતો ની વાત છે. આવી જીદ કોઈ માટે સારી નથી. ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવા જોઈએ. આ માટે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવી જોઈએ જે ખેડૂતો સાથે વાતચીત કર્યા પછી કોઈ સમાધાન શોધી કાઢશે."
ગૃહ મંત્રી અમિત શાહ સાથેની બેઠક અનિર્ણિત રહી
મહત્વનું છે કે ત્રણ નવા કૃષિ કાયદાને લઈને ગૃહ મંત્રી અમિત શાહ સાથે ખેડૂત આગેવાનોની મિટિંગ થઈ હતી, જે અનિર્ણિત રહી હતી, જેના પછી તાજેતરમાં સરકારે MSP અને APMC ને લઈને ખેડૂતોને લેખિતમાં આશ્વાસન પણ આપ્યું હતું, પરંતુ ખેડૂત આગેવાનોએ તેના પર મંત્રણા કરીને તેને ફગાવી દીધો હતો, તેમણે કહ્યું હતું કે સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવા જોઈએ.' જેના પછી કૃષિ મંત્રી તોમર અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે પણ બેઠક થઈ હતી.