નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી(NIV)ના સ્ટડીમાં જણાવાયું છે કે વેક્સિન કોરોનાના સૌથી ખતરનાક અને ઝડપથી ફેલાનારા ડેલ્ટા વેરિયન્ટથી થવાવાળા મૃત્યુ સામે 99% સુધી સુરક્ષા આપે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજનો સ્ટડી
વેક્સિન ડેલ્ટા વેરિયન્ટથી થવાવાળા મૃત્યુ સામે 99% સુધી સુરક્ષા આપે છે.
વેક્સિનેશન પછી 9.8% લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર
વેક્સિનેશન પછી સંક્રમિત થવાવાળા 9.8% લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. જ્યારે માત્ર 0.4% સંક્રમિતોની મોત થયાં છે. વેક્સિનેટ વ્યક્તિના કોરોના સંક્રમિત થવા પર તેને બ્રેકથ્રો ઇન્ફેક્શન કહેવામાં આવે છે.
મોટા ભાગનાં સેમ્પલ્સમાં મળ્યો ડેલ્ટા વેરિયન્ટ
વૈજ્ઞાનિકોએ જાણવા માટે સ્ટડી કર્યો હતો કે વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂક્યા પછી પણ લોકો કેમ સંક્રમિત થઇ રહ્યા છે? રિસર્ચ માટે ભેગા કરવામાં આવેલાં સેમ્પલ્સમાં સૌથી વધારે સેમ્પલમાં ડેલ્ટા વેરિયન્ટ મળી આવ્યા હતા. આલ્ફા, કપ્પા અને ડેલ્ટા પ્લસના ઓછા કેસ જોવા મળ્યા. NIVનો આ સ્ટડી ટૂંકમાં જ પ્રકાશિત કરવામાં આવશે.
સૌથી વધારે 181 સેમ્પલ કર્ણાટકથી તો સૌથી ઓછાં 10 બંગાળનાં
NIVના સ્ટડીમાં સામે આવ્યું છે કે ડેલ્ટા વેરિયન્ટનો પ્રથમ કેસ ઓક્ટોબર 2020માં મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાંથી મળ્યો હતો. કોરોનાની બીજી લહેર માટે આજ વેરિયન્ટને જવાબદાર માનવામાં આવે છે. સ્ટડી માટે 53 સેમ્પલ મહારાષ્ટ્રથી માર્ચ અને જૂન મહિના વચ્ચે લેવામાં આવ્યાં હતાં. સૌથી વધારે 181 સેમ્પલ કર્ણાટકથી તો સૌથી ઓછા 10 બંગાળમાંથી લેવામાં આવ્યાં છે. વાઇરસના વેરિયન્ટને શોધવા માટે આ સેમ્પલની જિનેટિક સિક્વન્સિંગ પણ કરવામાં આવી.
મોટે ભાગે યુવાનોનાં સેમ્પલ લીધાં, તેમાં 65.1% પુરુષ
સ્ટડી માટે મોટે ભાગે 31થી 56 વર્ષની વયના લોકોના નમૂના લેવામાં આવ્યા હતા. આમાંથી 65.1% પુરુષ હતા. 71% દર્દીમાં સંક્રમણનાં લક્ષણો વધારે હતાં. 69%ને તાવ હતો (સામાન્ય લક્ષણો). ચેપગ્રસ્ત 56%માં માથાનો દુખાવો અને ઊલટીનાં લક્ષણો હતાં. 45%ને કફ અને 37%ને ગળામાં દુખાવો હતો.