ભારત અને અમેરિકાના 2+2 ડાયલોગ દરમિયાન રક્ષા મંત્રી અને વિદેશમંત્રીની વાતચીત થઇ હતી, જેમાં બંને દેશો વચ્ચે અમુક કરાર થયા હતા જેનાથી ભારતને પોતાની ડિફેન્સ ક્ષમતા વધારવામાં મદદ મળશે, જો કે આ વાતને લઈને ચીન ખૂબ જ ગુસ્સે ભરાયું છે.
ભારત અને ચીનની વચ્ચે ચાલી રહ્યો છે તણાવ
અમેરિકન વિદેશ મંત્રીએ ગલવાનના શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ
ભારતે અમેરિકા સાથે કરી હતી સંરક્ષણ સમજૂતીઓ
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદની વચ્ચેની મિટિંગ દરમિયાન અમેરિકી મંત્રીએ એવું કહ્યું હતું કે ભારતના સાર્વભૌમત્વને કોઈ પણ ખતરો હશે ત્યારે અમેરિકા તેની પડખે રહેશે, આ વિધાનને ચીન સાથે ચાલી રહેલા હાલના તણાવના સંદર્ભે જોવામાં આવ્યું હતું જો કે ત્યાર બાદ અમેરિકી વિદેશ મંત્રી ગલવાન ઘાટીના શહીદોઓને શ્રદ્ધંજલિ આપવા માટે પણ પહોંચ્યા હતા, જેની ચીની મીડિયામાં તીખી આલોચના કરવામાં આવી હતી અને આ ક્રિયાથી ચીનને પેટમાં ચૂંક ઉપડી હતી.
Delhi: US Secretary of State Michael Pompeo and US Secretary of Defence Mark Esper pay tribute at National War Memorial.
US Secretary of State Mike Pompeo & Defence Secretary Mark Esper are in India to participate in 3rd India-US 2+2 Ministerial Dialogue. pic.twitter.com/8y4OeEqyJg
"ભારતીયો અમેરિકાની આ ઘટનાથી પ્રભાવિત થઈ ઉઠયા છે": ચીન
ચીનના સરકારી અખબારે ગ્લોબલ ટાઇમ્સે આ ઘટના પાર લખ્યું હતું કે "અમેરિકી મંત્રીના આ કામથી તમામ ભારતીયો પ્રભાવિત થઇ ઉઠ્યાં છે પરંતુ શું તેમણે વિચાર્યું છે કે શા માટે અમેરિકી મંત્રીએ ભારતીય સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ આપી જ્યારે કે અમેરિકામાં કોરોના વાયરસ બીમારીથી 2 લાખથી વધુ લોકો મરી ગયા છે પરંતુ તેમને કોઈ જ પ્રકારની શ્રદ્ધાંજલિ આપવામાં આવી નથી?"
"પરિણામો ભોગવવા પડશે": ચીનની ચીમકી
આ સાથે જ ચીની અખબારે વધુમાં કહ્યું હતું કે, "ચીન ભારત કે અમેરિકા કોઈને પણ દુશ્મનની રીતે જોતું નથી પરંતુ અમુક લોકો આ મામલે કાવતરું કરી રહયા છે અને તેના માટેના પરિણામો તેમને ભોગવવા પડશે"
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકાનું ઈન્ડો પેસિફિક વ્યૂહ એ તેની શીત યુદ્ધ કાલીન માનસિકતા દેખાડે છે, અમેરિકા તેનું પ્રભત્વ બનાવી રાખવા માંગે છે પરંતુ તે અમેરિકી નેતાઓને અપીલ કરે છે કે ચીનને આવી રીતે ડરાવવાનું તેમણે બંધ કરવું જોઈએ.
The anxieties of the #US and #India towards #China need to be tackled within their own countries or through bilateral collaboration with China. Deepening US-Indian cooperation is in vain for that purpose: Editor-in-Chief Hu Xijin #HuSayspic.twitter.com/XE7JEPg16q
સાથે જ વધુમાં તેમાં લખવામાં આવ્યું હતું કે,ચીન અને ભારત વચ્ચે જે પણ સરહદી વિવાદ છે તે બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે અને અમેરિકાએ તમા માથું મારવાની જરૂર નથી, સાથે જે ચીને ભારતને પણ ચેતવણી આપતા કહ્યું હતું કે ભારત અને અમેરિકા બંને દેશો હાલમા કોરોના મહામારીથી ગ્રસ્ત છે અને હાલના સમયમાં તેમનું ગઠબંધન કશા કામમાં આવે તેવું નથી. ભારતે ચીન પર જે દબાણ ઉભું કરવાનું કાર્ય કર્યું છે તે સફળ નહીં થાય, ગલવાન થી લઈને પેગોન્ગ સુધી આ દબાણ કામ નહિ લાગે. "