અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આવનારા 2 અઠવાડિયામાં મૃત્યુદર વધવાની આશંકા વ્યક્ત કરી છે. જેને પગલે તેમને સાવચેતી રાખવાનું કહ્યું છે. તેમજ લોકોનો દિશા નિર્દેશોનું ચુસ્ત પાલન કરવાની અપીલ કરી છે. તેમણે 30 એપ્રિલ સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનો આદેશ આપ્યો છે. ત્યારે અમેરિકા 1918માં થયેલા પ્રયોગનો ઉપયોગ કોરોના વાયરસ માટે કરી રહ્યું છે.
અમેરિકાએ કર્યો ‘કોનવાલેસ્સેન્ટ સીરમ થેરાપી’નો પ્રયોગ
અમેરિકાના હ્યૂસ્ટનમાં એક મુખ્ય હોસ્પિટલમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીનું લોહી બીજા ગંભીર રીતે કોરોનાના દર્દીને ચઢાવવામાં આવ્યું અને આ પ્રકારનો પ્રયોગ કરનાર આ પહેલી હોસ્પિટલ બની છે. કોરોના વાયરસમાંથી ઊભર્યા બાદ 2 અઠવાડીયા તબિયત સારી રહ્યા બાદ એક વ્યક્તિએ બ્લડ પ્લાઝમા દાનમાં આપ્યા છે. આ બ્લડ પ્લાઝમા હ્યૂસ્ટન મેથોડિસ્ટન હોસ્પિટલમાં ‘કોનવાલેસ્સેન્ટ સીરમ થેરપી’ માટે કરવામાં આવશે. સારવારી આ રીત 1918માં ‘સ્પેનિશ ફ્લૂ’ મહામારી સમયે વાપરવામાં આવી હતી.
અમેરિકામાં 2 લાખ લોકોના જીવ જવાની શંકા વ્યક્ત કરી
ઉલ્લેખનીય છે અમેરિકાના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. એન્થની ફૉસીએ રવિવારે શંકા વ્યક્ત કરતા સંયુક્ત રાજ્ય અમેરિકામાં 1થી 2 લાખ લોકોના જીવ જવાની શંકા વ્યક્ત કરી છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે આ આશંકા અત્યારની સ્થિતિને જોતા વ્યક્ત કરી છે.
અમેરિકામાં મરનારાની સંખ્યા2,484 થઈ ગઈ છે
અમેરિકામાં જે રીતે કોરોનાના દર્દીઓની તથા આ વાયરસને લીધે મરનારાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે ચિંતાજનક છે. અમેરિકામાં આજે સવાર સુધીમાં મરનારાની સંખ્યા2,484 થઈ ગઈ છે. જ્યારે કોરોનાગ્રસ્તની સંખ્યા 142,070 થઈ ગઈ છે. અમેરિકામાં મરનારાઓમાં 25 ટકા તો માત્ર ન્યૂયોર્કના જ છે. જેને પગલે સ્થાનીક નેતાઓના દબાણ અને ભયાનક માહોલને પગલે ટ્રમ્પે અહીં લોકડાઉન જાહેર કર્યુ હતુ.