ગુજરાતનું એવું ગામ જ્યાં દરેક પરિવારમાંથી એક સભ્ય છે સેનામાં, બનાસકાંઠાના મોટા ગામમાં આજે પણ સૈન્યમાં જોડાવવા ગામનો દરેક યુવાન તનતોડ મહેનત કરે છે.
ગુજરાતના ગામની અનોખી દેશભક્તિ
ગામના 300થી વધુ જવાનો દેશ સેવામાં
દેશ સેવા માટે મોટા ગામનો અનોખો જુસ્સો
બનાસકાંઠા જિલ્લામાં મોટા ગામ એવું ગામ બન્યું છે જેમાં દરેક ઘરમાંથી એક સભ્ય સૈનિક તરીકે દેશની સેવા આપી રહ્યો છે. મોટા ગામે અત્યાર સુધી દેશને અનેક જવાનો, પોલીસ કર્મીઓ દેશને આપ્યા છે કહેવાય છે આ ગામની માટીમાં દેશ ભક્તિ અને દેશ સેવાની સુવાસ મહેકે છે, મોટા ગામમાં આજે પણ સૈન્યમાં જોડાવવા ગામનો દરેક યુવાન તનતોડ મહેનત કરે છે.
મોટા ગામની અનોખી દેશભક્તિ
બનાસકાંઠામાં જિલ્લામાં આવેલું મોટા ગામ જે 6 હજારની વસ્તી છે પરતું તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામનો દરેક ઘરનો સભ્ય દેશની સેવામાં છે, અત્યાર સુધી મોટા ગામે 300 થી વધુ આર્મીના જવાનો અને પોલીસ જવાનો દેશને આપ્યા છે.
સામાન્ય રીતે કોઈ પણ ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે મોટા થઈને ઉચ્ચ અધિકારી બનવાના કે સરકારી નોકરી મેળવવાના સપનાઓ સેવતો હોય છે.
ત્યારે પરંતુ વાત બનાસકાંઠાના આ નાનકડા ગામની કરવામાં આવે તો બાળકનો જન્મ થાય ત્યારે તેના પરિવારજનો જ બાળકને દેશ સેવા માટે મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. બાળકો નાનપણથી જ સૈનિક બનીને દેશ સેવા કરવાના સપના સેવતા હોય છે.
300થી વધુ જવાનો દેશ સેવામાં
મહત્વનું છે કે વર્ષ 1996માં મોટા ગામના હરિસિંહ પરમાર અને ભૂપતસિંહ રાજપૂત નામના બે યુવાનો ભારતીય આર્મીમાં જોડાયા હતા આ બે યુવાનો 1976માં આર્મીમાં જોડાયા ત્યારે ભૂપતસિંહ રાજપુત 1990માં કારગિલ ખાતે સફેદ નાલના ટાઇગર હિલ યુદ્ધમાં મિત્રોને સાથે રાખી અને દુશ્મનો ઉપર વિજેતા મેળવી હતી
જે બાદ સેના દ્વારા ભૂપતસિંહને કારગિલ એવોર્ડથી સંન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને બસ ત્યારબાદ આ ગામના લોકોમાં દેશભક્તિને વરી ગયા હોય તેવું મનાઈ છે અને એક પછી એક યુવાનો અલગ અલગ લશ્કરમાં જોડાવવા લાગ્યા.
દેશ સેવા માટે અનોખો જુસ્સો
મોટા ગામમાં માતા સુરજ દેવીનું ગામની વચોવચ વર્ષો જૂનું મંદિર આવેલ છે આ ગામના જે પણ જવાન દેશની રક્ષા કરવા માટે જવાનું વિચાર કરે છે ત્યારે પહેલા આ માતાના મંદિરે દર્શન કરવા માટે આવે છે અને ત્યાર બાદ જ સરહદ પર જવા માટે રવાના થાય છે આ ગામના લોકોને આ દેવી પ્રત્યે એટલી બધી શ્રદ્ધા છે કે આર્મીમાં જતા પહેલા જરૂર આ સુરજદેવીના દર્શન કરીને જાય છે જેથી સરહદ પર માતા તેમની રક્ષા કરે છે.
યુવાનોને આપવામાં આવે છે ટ્રેનિંગ
આ ગામમાં શહીદ બહાદુરસિંહ નામની સરકારી શાળા પણ આવેલી છે આજે આ ગામમાંથી ભારત માતાની રક્ષા કરતા 300 થી પણ વધુ જવાનો સીમા પર તૈનાત છે.
જોકે મોટા ગામના ત્રણ જવાનો શહીદ પણ થયા છે. ત્યારે ગામનો દરેક યુવાન રાષ્ટ્રીય પર્વ પર શહીદોને યાદ કરે છે. વધુમાં મોટા ગામમાં હાલ 200થી વધુ યુવાનો સરહદ પર રક્ષા માટે જવા માટે તનતોડ મહેનત કરી સૈન્યમાં જોડાવવાનું સપનું જોઈ રહ્યા છે.