ગૃહમંત્રાલયે ગુજરાતમાં થયેલા આતંકી હૂમલા અને બોમ્બબ્લાસ્ટ સહિત દેશભરમાં થયેલા હૂમલાને લઈને 18 નવા આતંકવાદીઓની યાદી જાહેર કરી છે.
ગૃહ મંત્રાલયે જાહેર કરી 18 આતંકીઓની યાદી
અક્ષરધામ હુમલામાં સામેલ ફરહાતુલ્લાહ ઘોરીનું નામ
ગુજરાતમાં RDX કેસમાં છોટા શકીલ આતંકી જાહેર
કેંદ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 18 નવા આતંકીઓની યાદી જાહેર કરી છે. ગેરકાનૂની અધિનિયમ હેઠળ 18 લોકો આતંકી જાહેર કર્યા છે.
ગુજરાતની આ ગોઝારી ઘટનામાંના આરોપીના નામ પણ સામેલ
અક્ષરધામ મંદિર હુમલામાં સામેલ ફરહાતુલ્લાહ ઘોરીનું નામ પણ સામેલ છે એટલું જ નહીં પરંતુ અમદાવાદ-સુરત સિરિયલ બ્લાસ્ટમાં સામેલ MD ઇકબાલનું નામ પણ જાહેર કર્યુ છે.
દાઉદની નજીકના છોટા શકીલને ભારતે આતંકી જાહેર કર્યો
દાઉદની નજીકના છોટા શકીલને ભારતે આતંકી જાહેર કર્યો છે. ગુજરાતમાં 1993 RDX કેસમાં છોટા શકીલ આતંકી જાહેર કર્યા છે. લશ્કર-એ-તૈય્બાનો સાજીદ મીરને પણ આતંકી જાહેર કર્યા છે. સાજીદ મીર 26-11 મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ છે. એટલું જ નહીં પરંતુ હાફિસ સઇદના સાળા અબ્દુર રહેમાન મક્કીનું નામ પણ સામેલ છે. અબ્દુર રેહમાન મક્કી લશ્કર-એ-તૈય્બાનો ચીફ હેડ છે. મુંબઇ હુમલામાં સામેલ યુસુફ મુઝમ્મીલ પણ આતંકી જાહેર કરવામાં આવ્યો છે. સંસદ હુમલામાં સામેલ અબ્દુલ રૌફ, ઇબ્રાહિમ અખ્તરનું નામ પણ સામેલ છે.