કોરોના વાયરસની મહામારીને લઇને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે જણાવ્યું કે સ્વાસ્થ્યકર્મીઓ પર થઇ રહેલા હુમલાથી સરકાર ચિંતિત છે. આ પ્રકારની ઘટનાઓ પર રોક લગાવવા માટે નવો અધ્યાદેશ લાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જાવડેકરે કેબિનેટ દ્વારા લેવામાં આવેલા અન્ય નિર્ણયોની પણ જાણકારી આપી છે.
કોરોનાને અટકાવવા માટે 15000 કરોડ રૂપિયાની મંજૂરી
પેકેજનો મુખ્ય ઉદ્દેશ કોરોના સારવાર અને કોવિડ 19 સમર્પિત ઉપચાર સુવિધાઓનો વિકાસ કરવાનો
હસ્તક્ષેપો અને પહેલોને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ લાગૂ કરાશે
કોરોનાને અટકાવવા માટે 15000 કરોડ રૂપિયાની મંજૂરી
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળી કેબિનેટ બેઠકમાં ભારત કોવિડ 19 તત્કાલીન પ્રતિક્રિયા અને સ્વાસ્થ્ય પ્રણાલી તૈયારી પેકેજ માટે 15000 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.
રૂપિયાનો ઉપયોગ ત્રણ તબક્કામાં કરવામાં આવશે
એમને જણાવ્યું કે મંજૂર કરવામાં આવેલા રૂપિયાનો ઉપયોગ ત્રણ તબક્કામાં કરવામાં આવશે અને તત્કાલ કોવિડ 19 આપાતકાલિન પ્રતિક્રિયા માટે 7774 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે અને બાકીના રૂપિયાનો ઉપયોગ મિશન મોડ દ્રષ્ટિકોણ એકથી ચાર વર્ષ સુધી કરવામાં આવશે.
ફ્લાઇટો ફરીથી શરૂ કરવાનો નિર્ણય નહીં
ફ્લાઇટો ફરીથી શરૂ કરવા પર જાવડેકરે જણાવ્યું કે ઉડાન સંચાલનને ફરીથી શરૂ કરવા પર હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ફરીથી શરૂ કરવાના સમયે એની જાહેરાત કરવામાં આવશે.
આયુષ્માન યોજના લાભાર્થીઓને કોરાના અંદર અન્ય સારવાર પણ ફ્રી
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે જો કોઇ લાભાર્થી કોરોના ઉપરાંત કોઇ પણ અન્ય સારવાર માટે કોઇ પણ હોસ્પિટલમાં જાય છે તો એની સારવાર ફ્રી માં કરવામાં આવશે. એમને સ્પષ્ટ કર્યું કે એના માટે દર્દીની પાસે સરકારી હૉસ્પિટલથી આપવામાં આવેલું સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
દેશમાં કોરોના સમર્પિત 723 હૉસ્પિટલ
તેઓએ વધુમાં જણાવ્યું કે વર્તમાનમાં દેશમાં કોરોના સમર્પિત 723 હૉસ્પિટલ છે, જેમાં 1,86,000 આઇસોલેશન બેડ, 4000 આઇસીયૂ બેડ અને 12,190 વેન્ટિલેટર છે અને તમામ ચીજોને ત્રણ મહિનામાં તૈયાર કરવામાં આવ્યા છે.
77 ઘરેલૂ કંપનીઓ પીપીઇ કિટ બનાવી રહી
પીપીઇ કિટને લઇને કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે શરૂમાં આપણે ત્યાં પીપીઇ કિટની સુવિધા નહતી., પરંતુ આજે દેશમાં 77 ઘરેલૂ કંપનીઓ છે જે એને બનાવવામાં લાગેલી છે. એમને જણાવ્યું કે એક કરોડ 88 લાખ પીપીઇ કિટનો ઑર્ડર આપવામાં આવ્યો છે. એન95 માસ્કની દેશમાં 25 લાખની ઉપલબ્ધતા છે અને અઢી કરોડનો ઑર્ડર આપવામાં આવ્યો છે.
આશા વર્કરો સહિત સામુદાયિક સ્વાસ્થ્ય સ્વયંસેવકોને વીમા કવર આપવામાં આવ્યું
જાવડેકરે જણાવ્યું કે આશા વર્કરો જેવા સામુદાયિક સ્વાસ્થ્ય સ્વયંસેવકો સહિત તમામ સ્નાસ્થ્ય કાર્યકર્તાઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ: સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ માટે વીમા યોજના કોવિડ-19 હેઠળ વીમા કવર આપવામાં આવ્યું છે.