નવેમ્બર 2018માં નોટબંધીના બે વર્ષ પૂરા થઈ રહ્યા છે. ભાજપ સરકાર નોટબંધીને ખૂબ મહત્વનું પગલું ગણાવી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે નોટબંધીના નિર્ણયથી દેશને ફાયદો થયો કે કેમ? નોટબંધીથી દેશ સરકાર અર્થવ્યલસ્થા અને સામાન્ય વ્યક્તિને શું ફાયદો થયો છે? શું અપેક્ષા પ્રમાણેનું કાળુનાણુ બહાર આવ્યું છે? શુ નકલી નોટો બજારમાંથી ઓછી થઈ છે કેમ? જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
500 અને 1000ની નોટોને બજારમાંથી હટાવવાનો મુખ્ય હેતું કાળુનાણુ દેશમાંથી બહાર લાવવાનો આશય હતો. નોટબંધી પછી જાહેર કરવામાં આવેલી 2 000ની નોટોની સંખ્યા માર્ચ 2017માં 328.5 કરોડની હતી.
તેની કુલ કિંમત રૂ. 6 લાખ 57 હજાર કરોડની હતી. આ આંકડો નોટબંધી દરમિયાન સર્ક્યુલેશનમાં હાજર 1000ની નોટોની કિંમત 6.32 લાખ કરોડ કરતાં વધારે હતો.
સરકાર કહે છે કે મોટી કિંમતની નોટોથી કાળનાણુ વધે છે. તો પછી જૂની હજારની નોટોથી વધારે કિંમતની બે હજારની નોટો જાહેર કરીને કાળુનાણુ કેવી રીતે ઓછું થઈ ગયું? આ સિવાય નોટબંધી સમયે કુલ કરન્સીમાં 500-1000 રૂપિયાની નોટનો હિસ્સો 86 ટકા હતો.
નોટબંધી પછીના વર્ષે એટલે કે ડિસેમ્બર 2017માં 500 અને 2000ની નોટનો હિસ્સો 90 ટકા કરતાં વધી ગયો હતો. હવે સવાલ એ થાય છે કે મોટી કિંમતની નોટો પહેલાં કરતાં વધારે જાહેર કરવી હતી તો પછી નોટબંધીનો અર્થ શું? શું 2 000ની નોટથી બ્લેકમનીમાં વધારો નહીં થાય?
એપ્રિલ 2018માં ફરી કેશની મુશ્કેલી સામે આવી હતી. પછી સરકારે 2000ની નોટોનું સર્ક્યુલેશન ઘટાડવાનું શરૂ કર્યું હતું. ઘણાં આર્થિક અને બેકિંગ નિષ્ણાતોના મતે 2000ની નોટોની કિંમતથી કાળુનાણુ જમા કરવું વધારે સરળ છે. અહીં 500-1000ની નોટોની સરખામણીએ સંખ્યામાં ઓછી અને કિંમતમાં વધારે થાય છે.
નોટબંધી પહેલાં કાળુનાણુ જાહેર કરવાની સરકારે યોજના બનાવી હતી. તેમાં 1 જૂન 2016થી સપ્ટેમ્બર 2016 સુધી આ રકમથી ત્રણ ગણી રકમ રૂ. 67 382 કરોડ પરત આવી હતી. સવાલ એ થાય છે કે નોટબંધી પહેલાંની યોજનામાં જ સારી સફળતા મળી તો પછી કેમ આવું ન થયું?
નોટબંધી પછી જે કાળુનાણુ બહાર આવ્યું તેની સ્પીડ કેમ વધી ગઈ અને તે વધવાની જગ્યાએ 300 ટકા ઘટી કેમ ગઈ? આગોતરા આયોજનનો અભાવ આને કહેવાય આરબીઆઈને ખબર હતી કે નોટબંધી જાહેર થવાની છે. 2000 રૂપિયાની નોટ છપાવવાની શરૂ થઈ ગઈ હતી. તેમ છતાંય જૂની 500 અને 1000ની નોટોનો સ્ટોક ખૂબ જ વધુ હતો જ્યારે નવી 2000ની નોટ ખૂબ જ ઓછી હતી.
500 રૂપિયાની નવી નોટ હતી જ નહીં. આજ કારણ હતું કે સમગ્ર દેશ નોટબંધીના ત્રણ મહિના સુધી કરન્સી માટે તરસતો રહ્યો હતો. નોટબંધીના દિવસ સુધી આર.બી.આઈ. પાસે બંધ થનારી 1 000 રૂપિયાની 913.14 કરોડ નોટોનો સ્ટોક હતો અને જૂની 500 રૂપિયાની 2276 કરોડ નોટ હતી. તેની કિંમત 9 લાખ 13 હજાર કરોડ અને 11 લાખ 38 હજાર કરોડ રૂપિયા હતી.
બીજી તરફ નવી જાહેર થનારી 2 000ની માત્ર 247 કરોડ નોટ સ્ટોકમાં હતી. જેની કિંમત 4.94 લાખ કરોડ રૂપિયા હતી અને 500 રૂપિયાની એક પણ નવી નોટ નોટબંધી જાહેર થઈ તે દિવસે આરબીઆઈના સ્ટોકમાં હતી જ નહી.
નોટબંધી દરમિયાન સર્ક્યુલેશનમાં રહેલી કુલ નોટોમાં 500 અને 1000 નોટોની હિસ્સેદારી 86.4 ટકા હતી. 500 રૂપિયાની 1 716.5 કરોડ નોટ બજારમાં હતી. તેની કિંમત 8.58 લાખ રૂપિયા કરોડ હતી.
બીજી તરફ 1000 રૂપિયાની 685 કરોડ નોટ સર્ક્યુલેશનમાં હતી. તેની કુલ કિંમત 6.86 લાખ કરોડ રૂપિયા હતી. રિઝર્વ બેન્કના ઓગસ્ટ 2018માં આવેલા વાર્ષિક રિપોર્ટ મુજબ નોટબંધી બાદ 15.31 લાખ કરોડ રૂપિયા પરત આવ્યા હતા.
આરબીઆઈ દ્વારા 2017માં જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં માર્ચ- 2016 સુધી સર્ક્યુલેશનમાં રહેલી 1000 રૂપિયાની નોટની સંખ્યા 632.6 કરોડ હતી. RBI મુજબ તેમાંથી માત્ર 8.9 કરોડ નોટ પરત નહોતી આવી જેની કિંમત 8.900 કરોડ રૂપિયા થાય છે.
જ્યારે નોટબંધીની જાહેરાત નવેમ્બર 2016માં કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં 1000ની નોટ બજારમાં હતી. એવી જ રીતે 500 રૂપિયાની કેટલી નોટ પરત આવી તેની જાણકારી આરબીઆઈએ નવા રિપોર્ટમાં કે જૂના રિપોર્ટમાં રજૂ કરી નથી. 10 નવેમ્બરથી 19 ડિસેમ્બર 2016 દરમિયાન આરબીઆઈએ 2000 અને 500 રૂપિયાની 220 કરોડ નોટ જાહેર કરી.
નોટબંધી બાદ જાહેર કરેલી 2000ની નોટોની સંખ્યા માર્ચ 2017 સુધી 328.5 કરોડ હતી. તેનું મૂલ્ય 6 લાખ 57 હજાર કરોડ રૂપિયા થાય છે. માર્ચ 2017 સુધી બજારમાં રહેલી 500ની નોટોની સંખ્યા 588.2 કરોડ હતી. જેની કિંમત 2 લાખ 94 હજાર કરોડ હતી. આમ નોટબંધી ક્યા કારણથી કરાઈ અને તેનો ફાયદો શું થયો તે દેશની પ્રજા જાણવા માગે છે.