આજથી બે દિવસ માટે વિધાનસભાનું ચોમાસું સત્ર મળનાર છે ત્યારે આ સત્ર આજે વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી થનાર છે, મહત્વનું છે કે ભાજપ દ્વારા ઉપાધ્યક્ષ માટે જેડા ભરવાડના નામની પસંદગી કરી હતી જેને લઈ કોંગ્રેસે અસહમતિ દર્શાવતા કોંગ્રેસ પણ ઉપાધ્યક્ષ પદ માટે અનિલ જોષીયારાનું નામ આગળ કર્યું હતું જેથી હવે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર ઉભો રાખવામાં આવતા ચૂંટણી નિશ્ચિત થઈ ગઈ છે.
આજથી બે દિવસનું વિધાનસભા ચોમાસુ સત્ર
આ તરફ આજે વિધાનસભાનું સત્ર મળનાર છે ત્યારે આ સત્રમાં વિવિધ ચાર જેટલા વિધેયક લવાશે અને સુધારા કાયદાઓ પણ લવાશે ત્યારે બીજી બાજુ વિરોધ પક્ષ કોંગ્રેસ પણ કોવિડ સારવાર, મૃતકોને સહાય, તૌકતે વાવાઝોડા, અતિવૃષ્ટિ સહિતના પ્રશ્નો ઉઠાવી ગૃહમાં વિરોધ કરે તેવું મનાઈ રહ્યું છે.
વિધાનસભા ગૃહમાં શોક દર્શક ઉલ્લેખો રજૂ કરાશે
ગુજરાત વિધાનસભામાં પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આર્ચય બન્યા છે ત્યારે તેમના માટે પણ આજે વિધાનસભાન સત્રનો પ્રથમ દિવસ હશે, આ સત્ર દરમિયાન શરૂઆતમાં કોરોનામાં અવસાન પામનારને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, વિધાનસભામાં ગૃહમાં શોક દર્શક ઉલ્લેખો રજૂ કરાશે, મહત્વનું છે કે આજે ઉપાધ્યક્ષની ચૂંટણી થનાર છે ત્યારે ચૂંટણી બાદ વિધાનસભામાં તારાંકિત પ્રશ્નોતરી પર ચર્ચા પણ કરવામાં આવશે. આજે મળનાર સત્રમાં વિધાનસભામાં 2 સરકારી બિલ રજૂ કરવામાં આવશે, ગુજરાત ખાનગી યુનિવર્સિટી દ્વિતીય સુધારા વિધેયક રજૂ થશે, શિક્ષણમંત્રી ખાનગી યુનીવર્સિટી દ્વિતીય સુધારા વિધેયક રજૂ કરશે, આ સત્રમાં નાણામંત્રી ગુજરાત માલ સેવા વેરા સુધારા વિધેયક રજૂ કરશે.
વિધાનસભામાં 2 સરકારી બિલ રજૂ કરવામાં આવશે
મહત્વનું છે કે આ ચાર વિધેયકમાં સુરતમાં ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાનો વિવાદ થયા પછી ગ્રાન્ટેડ કોલેજને ફરજિયાત જોડી ન શકાય તે સુધારો કર્યો તેનું બિલ છે. આ પહેલાં ભાજપે ધારાસભ્યોની બોલાવેલી બેઠકમાં વિધેયક, ગૃહની કાર્યવાહી બાબતે ચર્ચા કરાઈ હતી.