આ Dorabji tata કોણ છે? ભારતની પહેલી હોકી ટીમને ઓલમ્પિક્સમાં મોકલાવમાં એમને જ મદદ કરેલી, એમને આપેલા ફંડથી જ ભારતની હોકી ટીમ ઓલમ્પિક્સમાં પહોંચી હતી અને પછી ગોલ્ડ મેડલ પણ જીતી લાવી હતી.
પ્રેમની સાચી પરિભાષા Dorabji tataની લવ સ્ટોરીમાં
ડાયમંડને વેચીને તે પૈસાથી કેન્સર હોસ્પિટલ બનાવી હતી
અહીં દર્દીઓ દુ:ખ સાથે આવે છે પણ સાજા થયા બાદ ખુશી લઈને જાય છે.
Dorabji tataના 14 ફેબ્રુઆરી 1898 એટલે કે valentines dayના દિવસે લગ્ન થયા હતા. તેમના લગ્ન મહેરબાઈ જોડે થયા અને એના જીવનમાં મહેરબાઈની એન્ટ્રી થઈ, મહેરબાઈને The Original Feminist Icon માનવામાં આવે છે, કારણકે એ મહિલાઓના મતાધિકાર, કન્યા કેળવણી અને પરદા પ્રથાને દૂર કરવા માટે પ્રતિબદ્ધ હતા.
કોહિનૂર કરતાં 2 ગણો મોટો અને 245 કેરેટનો હતો
Dorabji tata અને મહેરબાઈના લગ્નના 2 વર્ષ બાદ એમની એનિવર્સરી આવી અને જેમ બધા પોતાની એનિવર્સરી પર એકબીજાને સરપ્રાઇસ અને ગિફ્ટ આપતા હોય એ રીતે Dorabji tataએ મહેરબાઈને એક ડાયમંડ ગિફ્ટ કર્યો પણ આ કોઈ સામાન્ય ડાયમંડ ન હતો કોહિનૂર કરતાં 2 ગણો મોટો અને 245 કેરેટનો હતો. એ વખતેએ ડાયમંડની કિમત 1 લાખ પાઉન્ડ હતી, અત્યારે પાઉન્ડની કિમત 100.94 ચાલી રહી છે. લંડનના જે કારીગરોએ આ ડાયમંડ પર કામ કર્યું હતું એમને વિચાર્યું કે આ હીરો ત્યાંના મહારાણીના તાજમાં હશે પણ Dorabji tataનો પ્લાન કંઈક અલગ હતો એમને આ હીરો ખરીદીને મહેરબાઈને ગિફ્ટ કર્યો અને આ ગિફ્ટ કરવામાં આવેલ હિરાનું નામ હતું JUBILEE ડાયમંડ.
તો અત્યારે આ ડાયમંડ કયા છે ?
જમશેદજી ટાટા પછી Dorabji tataએ ટાટા કંપનીની કમાન પોતાના હાથમાં લીધી, ટાટા ભારતની તો સૌથી મોટી કંપની હતી જ પણ સ્ટીલ સેક્ટરમાં વિશ્વ લેવલે પણ પહોંચી ગઇ હતી અને વર્લ્ડવોર-1 વખતે ટાટાનો ખૂબ જ ખરાબ સમય આવ્યો, 1924માં Dorabji tata ને ખબર પડી કે પૈસા પતિ ગયા છે અને વર્કરો વિરોધ કરી રહ્યા છે, વર્કરોને આપવા માટે પણ પૈસા નહતા પોતાના પતિની કંપનીની આવી દશા જોઈને મહેરબાઈએ જરા પણ ખચકાટ વગર પોતાની બધી જ્વેલરી અને jubile ડાયમંડને ગીરવે મૂકી દીધા જેનીએ વખતે કિમત 1 કરોડ રૂપિયા હતી અને બઁકમાંથી લોન લઈને ટાટા એ બધા જ વર્કરોને પગાર આપ્યો અને કોઈને પણ પોતાની નોકરી ન ગુમાવી પડી.
કદાચ આને જ પ્રેમ કહેવાય
થોડા વર્ષો પછી કંપનીએ બધા પૈસા રિકવર પણ કરી લીધા. અને દોરાબજી ટાટાએ બધી જ્વેલરી પણ છોડાવી લીધી. આજે પણ ટાટાનુ આટલું મોટું નામ Dorabji tata અને મહેરબાઈનાએ સેકરીફાઇસના કારણે જ છે. બધુ જ બરાબર ચાલી રહ્યું હતું પણ 50 વર્ષની ઉમરે મહેરબાઈ બીમાર પડ્યા અને ખબર પડી કે તેમને કૅન્સર છે. દોરાબજી ટાટા એ ઘણા મોટા ડોકટોરોનો કોન્ટેક કર્યો ઘણા પ્રયત્નો કર્યા પણ ડૉક્ટરે કહી દીધું કે મહેરબાઈ હવે વધારે નહિ જીવી શકે. આ સાંભળીને તેઓ તૂટી ગયા કોઈ પણ પોતાના મનગમતા વ્યક્તિને આવી બીમારી થઈ છે એવું સાંભળે તો કદાચ આવું જ થાય. થોડા સમય બાદ મહેરબાઈએ દુનિયામાંથી વિદાઇ લીધી Dorabji tata ખૂબ દુખી રહેવા લાગ્યા અને તેમની જીવવાની ઈચ્છાઓ પણ મરી ગઈ. અને આખરે તેમને પણ આ દુનિયામાંથી વિદાઇ લીધી. તે તેના પ્રેમ તેની પત્ની વગરના જીવી શક્યા. પણ Dorabji tata મૃત્યુ પહેલા જ્યારે તેમને ખબર પડી કે તેમની પત્નીનો ઈલાજ નહીં થઈ શકે તો તેને jubilee ડાયમંડને વેચી દીધો અને તે પૈસાથી કેન્સર હોસ્પિટલ ઍટલે કે ટાટા મેમોરિયલ હોસ્પિટલની સ્થાપના કરી. જ્યાં લાખો દર્દીઓની ફ્રીમાં સારવાર થાય છે. દર્દીઓ પોતાના દર્દ દુ:ખ સાથે આવે છે પણ સાજા થયા બાદ ખુશી લઈને જાય છે.
Dorabji tata મહેરબાઈને તો કેન્સરથી ના બચાવી શક્યા પણ તેઓ નોહતા ઇચ્છતા કે હવે બીજા કોઈનો પણ જીવ કેન્સરની બીમારીથી જાય એ જ કારણ થી તેમને આ કેન્સર હોસ્પિટલ બનાવી હતી. Dorabji tata જતાં જતાં એવું કામ કરી ગયા કે જેના કારણે ઘણા બધા લોકોના પ્રેમ આજે એમની સાથે હશે