ચીનના સામાજિક કાર્યકર્તા યાંગ ઝાનકિંગને કોરોનાના એપિસેન્ટર વુહાન સિટીનાથી સતત એવા લોકોના સંદેશાઓ મળતા હતા કે જેના સંબંધીઓ મહામારીનો શિકાર બન્યા હતા. તે બધા સરકાર સામેના કેસમાં મદદ માટે યાંગની વિનંતી કરી રહ્યા હતા. પરંતુ અઠવાડિયા સુધી યોજના પર કામ કર્યા પછી એપ્રિલના અંતમાં અચાનક જ કેસ નકારી કાઢવામાં આવ્યો. યાંગના જણાવ્યા અનુસાર લોકોને સીધા બોલાવી પોલીસે તેમને ધમકી આપી હતી.
આ લોકોને ચીને ગાયબ કરી દીધા
કોરોના સામે અવાજ ઉઠાવનાર અને તેના સત્યની માંગ કરનારને ધમકાવવામાં આવ્યા
ન્યૂ યોર્ક આવેલા સામાજિક કાર્યકર્તાને આ બાબતનો લાગે છે ડર
યાંગે દાવો કર્યો છે કે સંક્રમણના સ્ત્રોતને લઈને સવાલોમાં ઘેરાયેલા ચીને વૈશ્વિક દબાણ વધતું રોકવા માટેનો અવાજોને દબાલી રહ્યું છે. વકીલોને સરકાર વિરુદ્ધ કેસ ન ચલાવવા ચેતવવામાં આવ્યા છે. ત્યારે અન્ય પીડિતોને સંપર્ક કરનારા લોકોને પુછપરછ કરી ધમકાવવામાં આવી રહ્યા છે. જે વોલેન્ટિયર સરકારની વિરુદ્ધ સેન્સર કરવામાં આવેલા સમાચારને ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને ગાયબ કરી દેવામાં આવી રહ્યા છે.
સરકારના વિરોધી કામના આરોપસર ધમકાવ્યા બાદ યુએસ ભાગી ગયેલા યાંગ હવે ન્યૂયોર્કમાં રહે છે. તેઓ કહે છે કે તેઓ (ચીની સરકાર) ચિંતિત છે કે જો લોકો તેમના હક માટે ઉભા થશે અને અવાજ ઉઠાવશે તો આંતરરાષ્ટ્રીય સમુદાયને વુહાનની સાચી વાસ્તવિકતા અને ત્યાંના પરિવારોના મહામારી સાથેના વ્યવહારના અનુભવને જાણી જશે.