આ વખતની ચૂંટણીમાં ટ્રાન્સજેન્ડર મતદાતા પણ મહત્વની ભૂમિકા ભજવી, અન્ય કેટેગરીમાં આવતા ટ્રાન્સજેન્ડર સમુદાયના મતદારો મત કેન્દ્ર પર મત આપી સામાન્ય નાગરિકોને રાહ ચિંધી
ટ્રાન્સજેન્ડર સમુદાયના મતદારો મત આપ્યા
ટ્રાન્સજેન્ડર મતદારોએ મતદાન કરવા અપીલ
રાજ્યમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારો
લોકશાહીના ઉત્સવ સમી ચૂંટણીમાં મતદાર રાજા હોય છે અને લોકશાહીમાં તમામને મતદાન કરવાનો અધિકાર છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ટ્રાન્સજેન્ડર મતદાતા પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આપણે જ્યારે મતદાન કેન્દ્ર પર પહોંચવા શુભ મુહૂર્તની રાહ જોતા ઘરે બેઠા હતા ત્યારે અન્ય કેટેગરીમાં આવતા ટ્રાન્સજેન્ડર સમુદાયના મતદારો મત કેન્દ્ર પર મત આપી ચૂક્યા હતા અને સામાન્ય નાગરિકોને રાહ ચિંધી રહ્યા હતા.
ટ્રાન્સજેન્ડર મતદારોએ મતદાન કરવા અપીલ
લોકશાહીના ઉત્સવ સમી ચૂંટણીમાં મતદાર રાજા હોય છે અને લોકશાહીમાં તમામને મતદાન કરવાનો અધિકાર છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ટ્રાન્સજેન્ડર મતદાતાઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. કિન્નર સમુદાય લોકશાહીના મહાપર્વમાં એકજૂથ થઇને મતદાન કરવા માટે ઉત્સુક જણાયા હતા. આણંદ જિલ્લાની પેટલાદ વિધાનસભા મતવિસ્તારમાં આજે પેટલાદ અખાડા ખાતે 125 જેટલા અન્ય જાતિના એટલે કે, ટ્રાન્સજેન્ડર શ્રેણીમાં આવતા મતદારો એકત્ર થયા હતા. આ ટ્રાન્સજેન્ડર શ્રેણીના મતદારોએ સામુહિક પદ યાત્રા યોજી હતી. એક લાંબી પદયાત્રા બાદ તેઓ સખી મતદાન મથક પહોંચ્યા હતા જ્યાં તેમણે મતદાન કરી રાજ્યના મતદારો ને વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારો
આપને જણાવી દઈએ કે રાજ્યમાં કુલ 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયેલા છે. જેમાંથી મોટા ભાગના મતદારોએ વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વર્ષ 2014થી સુપ્રીમ કોર્ટ દ્વારા કિન્નર સમુદાયને ‘અન્ય જાતિ’ કેટેગરીમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. ત્યારથી કિન્નરોને ટ્રાન્સજેન્ડર તરીકે સ્વતંત્ર રીતે મતદાન કરવાનો હક્ક મળ્યો છે. સામાન્ય રીતે દિવાળી, હોળી, રક્ષાબંધન જેવા તહેવારો અને શુભ સામાજિક પ્રસંગોમાં આપણી પાસે બક્ષિસ માગવા આવતા આ લોકો વિશે આપણે બહું જાણતા હોતા નથી. હકીકતમાં આ સમુદાયના લોકો અન્ય વાર તહેવારની જેમ જ ચૂંટણીને પણ ખરા અર્થમાં તેઓ એક અવસર અને ઉત્સવ માને છે. ત્યારે હકથી મળેલો ગમતા ઉમેદવારને ચૂંટવાનો અવસર તેઓ ચૂકવા માગતા નથી.
આમ, જ્યારે આ અન્ય કેટેગરીના મતદારોને લોકશાહીના મહાપર્વમાં અન્ય નાગરિકોની જેમ હિસ્સેદારી કરવાનો મોકો મળ્યો ત્યારે તેઓ પણ સમાજનો જ અભિન્ન હિસ્સો હોય તેવી તેમને અનુભૂતિ થઈ આવી હતી