મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળ બની છે, સાત વર્ષની હર્ષીએ ગુમાવ્યા માતા-પિતા કહ્યું મેં જાળી પકડી હતી એટલે મને બચાવી લીધી
મોરબી દુર્ઘટનાનો ભોગ અમદાવાદનો પરિવાર બન્યો
માતા-પિતાને ગુમાવનાર દીકરી હર્ષીના શબ્દો
'મેં જાળી પકડી હતી એટલે મને બચાવી લીધી'
મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળ બની છે. દુર્ઘટનામાં કોઈ પિતા ગુમાવ્યા છે તો કોઈ પોતાનો દિકરો કે દિકરી ગુમાવી છે. જાણે કે તે પરિવાર માટે રવિવારની રજાનો દિવસ કોળો દિવસ સાબિત થયો છે. અનેક પરિવારો બાળકો સાથે ઝૂલતા પુલની મુલાકાતે ગયા હતા. જ્યાં સાંજના સમયે આચનક બ્રિજ તૂટી જતાં લોકો પાણીમાં ખાબક્યા હતા. મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. પુલ તૂટવાની ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. પુલ તુટી પડતા અનેક પરિવારોના પોતાના સભ્યો ગુમાવ્યા છે. અનેક માતા-પિતાઓએ પોતાના સંતાનો ગુમાવ્યા છે, તો કેટલાય બાળકો માતા-પિતાની છત્રછાયા ખોઇ બેસ્યા છે. આ હ્રદયકંપા ઘટનાથી સૌ કોઈ દુ:ખી છે. અમદાવાદની સાત વર્ષની હર્ષી તેના માતા-પિતા સાથે મોરબી ફરવા ગઈ હતી અને જે દુર્ઘટનામાં તેણે માતા-પિતાને ગુમાવ્યા છે. બાળકી જે સમગ્ર ઘટના વર્ણવી રહેલી છે. જે વ્યથા કઠોર હૈયુ રાખી સાંભળવી પડશે. જુઓ આ વિડીયો
આ માસુમને અજીય સંપૂર્ણે સમજણશક્તિ વિકસી પણ નથી. પરંતું દુર્ઘટનામાં માસુમ બાળકીએ માતા-પિતા ગુમાવ્યા છે. તે જણાવી રહી છે કે જ્યારે પુલ તુટ્યો ત્યારે હું મારા-મમ્મી અને પ્પપા પુલ પર હતા. તેણે જણાવ્યું કે જ્યારે પુલ તુટ્યો ત્યારે મે જાળી પકડી લીધી હતી તેમજ તે સમય મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. તેણે કહ્યું મે જાળી પકડી રાખી હતી એટલે મને પોલીસવાળાએ બચાવી લીધી હતી. માતા પિતાનું હર્દયદ્વારક દર્શયો જોયા છે. પોતાના સ્વજન ગુમાવી કરુણકંપારી અનુભવી રહ્યો છે.