દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 7,00,000 ઉપર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલય તરફથી મંગળવારે સવારે જાહેર કરાયેલા અપડેટ મુજબ, દેશમાં કુલ કોરોના દર્દીઓનો આંકડો 7,19,655 થઇ ગયો છે, જેમાં 20, 160 લોકોના મૃત્યું થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 4,40,000 લોકો ઠીક થઇ ગયા છે, જ્યારે અંદાજે 2,60,000 એક્ટિવ કેસ છે.
કુલ દર્દીનો આંકડો 7 લાખની ઉપર પહોંચ્યો
અત્યાર સુધીમાં 4.40 લાખ દર્દીઓ ઠીક થયાં
છેલ્લા 24 કલાકમાં દેશમાં 22,252 નવા કેસ સામે આવ્યાં છે જ્યારે 467 લોકોનાં મૃત્યું થયા છે. ICMRના જણાવ્યાં મુજબ 6 જુલાઇ સુધી 1 કરોડ 2 લાખ 11 હજાર 92 સેમ્પલનો ટેસ્ટ કરવામાં આવી ચૂક્યો છે. જેમાં 2 લાખ 41 હજાર 430 સેમ્પલનો ટેસ્ટ માત્ર 6 જુલાઇ સુધીમાં કરવામાં આવ્યો હતો, જેમાં 22 હજારથી વધારે લોકો પોઝિટિવ નિકળ્યાં છે.
India's COVID19 case tally crosses 7 lakh mark with 22,252 new cases & 467 deaths in the last 24 hours. Total positive cases stand at 7,19,665 including 2,59,557 active cases, 4,39,948 cured/discharged/migrated 20,160 deaths: Ministry of Health pic.twitter.com/IDI8t4VhnH
દેશમાં કોરોનાનું સૌથી મોટું સેંટર હજુ પણ મહારાષ્ટ્ર બનેલું છે. જો આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 5,368 નવા દર્દીઓ સામે આવ્યાં છે, જ્યારે 204 દર્દીઓના મૃત્યું થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 2,11,900થી ઉપર થઇ ગયો છે, જ્યારે 9,026 દર્દીઓના મૃત્યું થયા છે.