શહેરમાં દૂષિત પાણી, ઊભરાતી ગટર અને બિસ્માર રસ્તા એવા નળ, ગટર અને રસ્તા એટલે કે 'નગર'ને લગતા પ્રશ્નોની ભરમાર છે. શાસકો છાશવારે મોટા પ્રોજેકટની જાહેરાત કરીને લોકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે. પરંતુ શહેરીજનોની સુખાકારી જળવાતી નથી. આની સાથે રખડતી ગાય, કૂતરાં, ટ્રાફિક જામ જેવી રોજબરોજની સમસ્યાનું પણ નિરાકરણ લાવવામાં તંત્ર મહદઅંશે નિષ્ફળ રહ્યું છે.
રસ્તા પર રખડતી ગાયની સમસ્યા નિવારવામાં તંત્ર નિષ્ફળ
કોર્પોરેશને આ સમસ્યાને પહોંચી વળવા મદદ કરનારા યુવકો માટે ઈનામ પણ જાહેર કર્યા પણ...
કોર્પોરેશન ગાય પકડવાની કામગીરીને વિરામ આપ્યો છે.
માત્ર ૪૫ ટકા ઢોરમાં જ આ ટેગ લગાવી શકાયા
જ્યાં સુધી રખડતી ગાયનો પ્રશ્ન છે તો શહેરમાં રખડતી ગાયની સમસ્યા અગાઉ કરતાં વધુ વકરી છે. અમદાવાદનાં મોટાભાગનાં વિસ્તારમાં રસ્તા પર અડ્ડો જમાવી બેઠેલી રખડતી ગાયનાં દ્રશ્યો લોકોને માટે સામાન્ય બન્યા છે. બીજી બાજુ મ્યુનિસિપલ કોર્પોરેશને ગાય સહિતનાં ઢોર પર RFD ટેગ લગાવવાનું એક વર્ષથી શરૂ કર્યું છે. જોકે અત્યાર સુધીમાં માત્ર ૪૫ ટકા ઢોરમાં જ આ ટેગ લગાવી શકાયા છે.
જાહેરાતનો ફિયાસ્કો થયો
ગાયને રસ્તા કે શાકમાર્કેટમાં રખડતી મૂકી દેનારા પશુપાલકો આ માટે તંત્ર પર દોષનો ટોપલો ઢોળે છે. શહેરનો વિકાસ થવાથી ગામતળ વિસ્તારમાં હવે ગાયને બાંધવાની કે તેના ચારા માટેની જગ્યા ન હોઈ ગાય રખડતી મૂકી દેવાય છે. તેવી દલીલ અમુક પશુમાલિકો કરતાં આવ્યા છે. બીજી તરફ સત્તાધીશો પણ ગાયને પકડીને બહેરામપુરાના ઢોરવાડામાં પૂરવા મામલે ખાસ સક્રિયતા દાખવતા નથી. જેના કારણે પશુપાલકો દરરોજ ભીંસમાં મુકાતા નથી. જોકે કેટલાક વિસ્તારમાં પશુપાલકો પકડેલી ગાયને છોડાવવા મ્યુનિસિપલ સ્ટાફ પર જીવલેણ હુમલા કરતા પણ ખચકાતા નથી. અગાઉ લોકો પોતે ગાય પકડવા આગળ આવે તે માટે સત્તાવાળાઓએ પ્રતિ ગાય રૂ.પ૦૦ ઈનામ આપવાની જાહેરાત પણ કરી હતી. જોકે આ જાહેરાતનો ફિયાસ્કો થયો હતો.
ક્યારે કેટલી ગાયો પકડી
હવે તંત્રની ગાય પકડવાની કામગીરીની વિગત તપાસીએ તો ગત વર્ષમાં એપ્રિલમાં ૧૧ર૪, મેમાં ૧ર૪૭, જુનમાં ૯૯૦, જુલાઈમાં ૧પ૧૦, ઓગસ્ટમાં રર૦ર, સપ્ટે.માં રરપ૪, ઓકટો.માં ૧ર૬ર અને નવેમ્બરમાં ફક્ત ૩૧૪ ગાયો મળીને ૧૦૯૦૩ ગાયો પકડીને બહેરામપુરાના ઢોરવાડામાં પુરાઇ હતી. એટલે કે દરરોજ ૪૪ ગાય પણ તંત્રે પકડી નથી. તેમાંય નવેમ્બરમાં દરરોજ ફક્ત ૧૦ ગાય તંત્રએ પકડી હતી.
રસ્તા પર રખડતી ગાયની સમસ્યા નિવારવામાં તંત્ર નિષ્ફળ
જાણકાર સૂત્રો કહે છે ઓગસ્ટ ર૦૧૭માં હાઇકોર્ટની લાલ આંખના પગલે સત્તાધીશો રખડતી ગાયનાં મામલે પણ દોડતા થયા હતા. તે વખતે તંત્ર 'ઓપરેશન રાઉન્ડ ધી કલોક' હાથ ધરીને દરરોજ ૧૦૦ ગાય પકડીને ઢોરવાડાનાં હવાલે કરતું હતું. પરંતુ હવે આ કામગીરીમાં શિથિલતા આવી ગઈ છે.