હાલમાં મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ છે અને 2020ના વર્ષમાં તેમની સંપત્તિમાં જબરદસ્ત વધારો નોંધાયો છે, પરંતુ જો સૌથી વધુ સંપત્તિ વધવાની રીતે વાત કરીએ તો અદાણી ગ્રુપના સ્થાપક ગૌતમ અદાણીની સંપત્તિ 2020 માં સૌથી વધુ વધી છે. બ્લૂમબર્ગ અબજોપતિ સૂચકાંક અનુસાર ગૌતમ અદાણીની સંપત્તિમાં ગયા વર્ષે 21.5 અબજ ડોલરનો વધારો થયો છે, જે તેમની કુલ સંપત્તિના 175 ટકા વધારો સૂચવે છે.
કોરોના કાળમાં પણ વધી અમીરોની સંપત્તિ
કુલ 76.3 ડોલરનો નોંધાયો ઉછાળો
સાયરસ પૂનાવાલા અને ગૌતમ અદાણીની સંપત્તિમાં નોંધાયો ઉછાળો
વર્ષ 2020 માં અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં જોરદાર વૃદ્ધિ થઈ, પરિણામે ગૌતમ અદાણીની સંપત્તિમાં 174.8 ટકાનો વધારો થયો. તે જ સમયે, રિલાયન્સના માલિક મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ 30.8 ટકાનો વધારો થયો છે.
કોરોના કાળમાં પણ વધી અબજોપતિઓની સંપત્તિ
એક બાજુ કોરોના દેશના લાખો લોકોએ કોરોના સંકટને લીધે તેમની નોકરીધંધા ગુમાવી દીધા હોવા છતાં, ધનકુબેરો માટે આ વર્ષ સારુ રહ્યું કહી શકાય તેમ છે. ગયા વર્ષે દેશના ટોચના 10 અમીરોની સંપત્તિમાં 76.3 ડોલરનો વધારો થયો છે. તેમાં ગૌતમ અદાણી અને સાયરસ પૂનાવાલાની સંપત્તિમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાઈ છે. અબજોપતિઓની સંપત્તિમાં આ વધારો તેમની કંપનીના શેરના ભાવમાં થયેલ તીવ્ર વધારાને કારણે થયો છે.
કોરોના વેક્સિનને કારણે સાયરસ પૂનાવાલાની સંપત્તિ વધી
સાયરસ પૂનાવાલાની સંપત્તિમાં સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલી કોરોના રસીના કારણે વધારો નોંધાયો છે. ગયા વર્ષે સાયરસ પૂનાવાલાની સંપત્તિ 86.7 ટકા વધી હતી. 2020 માં તેમની કુલ સંપત્તિમાં 7.6 અબજ ડોલરનો વધારો થયો. સીરમ ઇન્સ્ટિટ્યુટની સાથે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા અને નોવાવેક્સ કંપની તરફથી કોરોના રસી તૈયાર કરવા માટે ટાઈઅપ કારાયું છે.
અદાણી જૂથની કંપનીઓમાં પણ નોંધાઈ છે તેજી
વર્ષ 2020 માં અદાણી ગ્રુપની કંપનીઓનો ઝડપી વિકાસ નોંધાયો છે. અદાણી ગ્રીનના શેરમાં 582 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, અદાણી ગેસ અને અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 112 ટકા અને 86 ટકાનો ઉછાળો નોંધાયો હતો. અદાણી ટ્રાન્સમિશન 40 ટકા અને અદાણી પોર્ટ્સમાં 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તેમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં ઘણો વધારો થયો. ગૌતમ અદાણીનું ગ્રૂપ પોર્ટ, એરપોર્ટ, એનર્જી, લોજિસ્ટિક્સ, એગ્રો બિઝનેસ, રીઅલ એસ્ટેટ, ડિફેન્સ અને ફાઇનાન્સિયલ સર્વિસીસમાં કાર્યરત છે.