ઘણા સમયથી એવી અફવા ચાલી રહી છે કે બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
ડિસેમ્બરમાં રણબીર-આલિયા કરી શકે છે લગ્ન
કોહલી અને અનુષ્કાની જેમ છે વેડિંગ પ્લાન
ફ્રી રહેવા માટે બંને કલાકારોએ પૂર્ણ કરી લીધા પ્રજેક્ટસ
સમાચાર અનુસાર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્ન કરી શકે છે.રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલો પણ છે. બંનેના પરિવારના સભ્યો પણ અવારનવાર એકબીજાને મળતા રહે છે. હવે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે ચર્ચાઓનું બજાર પણ ગરમાયું છે.
ડિસેમ્બરમાં ફ્રી રહેવા માટે બંને કલાકારોએ પૂર્ણ કરી લીધા પ્રજેક્ટસ
આવી સ્થિતિમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ નવેમ્બરના અંત સુધીમાં તેમનું આખું કામ પૂરું કરવા માગે છે. જેથી તે ડિસેમ્બરમાં ફ્રી થઈ શકે. સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે રણબીરે એનિમલનું શૂટિંગ 2022 સુધી આગળ ધપાવ્યું છે. બીજી તરફ, આલિયભટ્ટે તેના તમામ પ્રોટિઝનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. તે ઉપરાંત, રણબીરને શમશેરાને પ્રમોટ કરવાની છે, જે માર્ચ 2022 માં રિલીઝ થશે. ચર્ચા છે કે બંને ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે. આ જ કારણ છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જેમ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમના તમામ પ્રોજેક્ટની તારીખો ખાલી રાખી છે.
બંનેના લગ્નની થઈ શકે છે સત્તાવાર જાહેરાત
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લગ્ન કરવા માટે ઇટાલી જતા પહેલા લગ્નનો ઇનકાર કર્યો હતો, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રણબીર કપૂરના લગ્નની સત્તાવાર જાહેરાત થશે, જેમ કે કપૂર પરિવાર સામાન્ય રીતે કરે છે. નોંધપાત્ર છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની ઘણી ફિલ્મોનું પ્રમોશન કરવાના છે, જે તેઓ નવેમ્બરમાં પૂર્ણ કરવા માગે છે. જેથી તે વૈન્યુ માટે સંપૂર્ણપણે ફ્રી થઈ શકે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગયા હતા જોધપુર
અગાઉ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ જોધપુર જવાના કારણે ચર્ચામાં હતા. અભિનેતાના જન્મદિવસ પર બંને જોધપુરમાં હતા. આવી સ્થિતિમાં, એવી પણ અફવા હતી કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમના લગ્નનું સ્થળ જોવા જોધપુર ગયા છે. જો કે તે કયા કારણોસર જોધપુર ગયા હતા તે અંગે આ બંને કલાકારોએ કંઈ જણાવ્યું નથી. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટૂંક સમયમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.