ગઈ કાલે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને ટકોર કરી હતી કે રાજ્યમાં કડક કોરોના નિયમો લાદવામાં આવે જે બાદ આજે નાઈટ કર્ફ્યૂનો સમય વધારી 11 થી 5નો કરી દેવામાં આવ્યો છે.
ગુજરાતમાં મનપા વિસ્તારોમાં પ્રતિબંધો કડક બનાવાયા
રાત્ર કર્ફ્યૂના સમય લંબાવાનો સરકારનો નિર્ણય
રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ
ગુજરાતમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થતાં 8 મહાનગરોમાં રાત્રિ કફર્યુંના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં મનપા વિસ્તારોમાં પ્રતિબંધો કડક બનાવવામાં આવ્યા છે. નાઈટ કર્ફ્યૂના સમયમાં રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરી નાખવામાં આવ્યો છે. આ પહેલાની ગાઈડલાઇનમાં નાઈટ કર્ફ્યૂનો સમય 1 થી 5 હતો. જેમાં વધારો કરવામાં આવ્યો છે.
શનિવાર રાતથી નિયમ લાગુ
રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારના ગૃહ વિભાગે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અને નિયંત્રણો અમલમાં મુક્યા છે. આ અમલ 10 ડિસેમ્બર અને 20 ડિસેમ્બરની ગાઇડલાઇનની જેમ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવેલ છે.1) 25 ડિસેમ્બર 2021થી અમદાવાદ શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, વડોદરા શહેર, જૂનાગઢ શહેર, જામનગર શહેર, ભાવનગર શહેર અને ગાંધીનગર શહેરમાં દરરોજ રાત્રિના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે.
આ 8 શહેરોમાં તમામ દુકાન, રેસ્ટોરન્ટ, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિયક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર અને અન્ય વ્યાપારિક ગતિવિધિ હાલ રાત્રે 12 કલાક સુધી ખુલ્લા રાખી શકાતા હતા. જોકે તેમાં ફેરફાર કરતા 25 ડિસેમ્બર 2021થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. આ ગાઇડલાઇન 30 નવેમ્બરના હુકમોની અન્ય બાબતો 31 ડિસેમ્બર સુધી યથાવત્ રહે છે.
રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ
31 ડિસેમ્બરે જાહેર રસ્તાઓ પર નહી શકે ઉજવણી
કોરોનાના કેસોમાં વધારો થતા સરકારે લીધો નિર્ણય
શહેરોમાં વેપાર ધંધા રાતે 11 વાગ્યા અગાઉ થશે બંધ
રાતે એક વાગ્યાને સ્થાને હવે 11 વાગ્યાથી લાગૂ થશે કર્ફ્યૂ
ગઈકાલે રાજ્યમાં કોરોનાના 111 કેસ નોંધાયા હતા
એક દિવસમાં 100થી વધુ કેસ નોંધાતા સરકાર અલર્ટ
નિયમોનું પાલનમાં છૂટછાટ લેવી પડી શકે છે મોંઘી
રાજેશ ભૂષણે કહ્યું, વિશ્વમાં કોરોનાની ચોથી લહેર જોવા મળી રહી છે. એકંદરે પોઝિટિવિટી દર 6.1 ટકા છે. તેથી, આપણે સાવચેત રહેવું જોઈએ અને આપણે નિયમોમાં ઢીલાશ સહન કરી શકતા નથી. તેમણે કહ્યું કે, યુરોપ, ઉત્તર અમેરિકા અને આફ્રિકામાં સપ્તાહ-દર-અઠવાડિયે કોવિડના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. એશિયામાં હજુ પણ સપ્તાહ-દર-અઠવાડિયે કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય સચિવે કહ્યું કે, ક્રિસમસ અને 31 ડિસેમ્બરના કારણે બજારોમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. લોકો સામાજિક અંતર જાળવ્યા વિના, માસ્ક પહેર્યા વિના ખરીદીમાં વ્યસ્ત છે.
બે દિવસમાં કોરોનાના આંકડા વધ્યા
આરોગ્ય સચિવે કહ્યું કે ઓમિક્રોન અને કોરોનાવાયરસ કેસની વધતી સંખ્યા સરકાર માટે માથાનો દુખાવો બની રહી છે. ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવનાર છે. પરંતુ સામાન્ય જનતા પોતાના ધૂનમાં જોવા મળી રહી છે. તેમણે કહ્યું, ઓમિક્રોનના મુંબઈમાં 35 અને મહારાષ્ટ્રમાં 88 દર્દીઓ છે. છેલ્લા બે દિવસમાં કોરોનાના આંકડામાં પણ વધારો થયો છે. 23 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં 1,179 કોરોના દર્દીઓ મળી આવ્યા હતા અને 17 લોકોના મોત થયા હતા. તે જ સમયે, મુંબઈમાં 602 કેસ નોંધાયા હતા, જ્યારે 1નું મોત થયું હતું. 22 ડિસેમ્બરે રાજ્યમાં કોરોનાના 953 કેસ નોંધાયા હતા અને 8 લોકોના મોત થયા હતા.
5 રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ
ભૂષણે કહ્યું કે, દેશમાં 20 જિલ્લા એવા છે જ્યાં કેસ પોઝિટિવિટી રૅટ 5-10 ટકા જેટલો છે, જેમાં 9 કેરળમાં અને 8 મિઝોરમમાં છે. 2 જિલ્લા એવા છે જ્યારે કેસ પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે. આ બંન્ને જિલ્લાનો મિઝોરમમાં સમાવેશ થાય છે. તો સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા 5 રાજ્ય કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ,પશ્ચિમ બંગાળ અને કર્ણાટક છે.