ભારતમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને BCCI દ્વારા નિર્ણય લેવાયો છે કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની સીરીઝ હવે માત્ર 2 જગ્યાએ રમાશે, જેમા 3 મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.
કોરોનાને કારણે BCCI દ્વારા લેવાયો મોટો નિર્ણ
ફેબ્રુઆરીમાં ગુજરાતમાં રમાશે વનડેની ત્રણ મેચ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં વેસ્ટ ઈન્ડિઝ સાથે રમાશે મેચ
દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્રીજી લહેર હાલ પીક પર પહોચી ગઈ છે. જેમા રોજના હવે મોટી સંખ્યામાં કે નોંધાઈ રહ્યા છે. ત્યારે ત્રીજી લહેરમાં ફરી ક્રિકેટ ઉપર પણ તેની અસર પડી રહી છે. આવતા મહિને ભારતમાં વેસ્ટઈન્ડિઝની ટીમ સાથે વન ડે અને ટી-20 મેચ યોજાવાની છે. જેને લઈને BCCI દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. '
NEWS 🚨 : BCCI announces revised venues for home series against West Indies.
The three ODIs will now be played at the Narendra Modi Stadium, Ahmedabad and three T20Is will be held at the Eden Gardens, Kolkata.
ભારતમાં કોરોનાની સ્થિતીને જોતા BCCI દ્વારા વેસ્ટઈન્ડિઝ સાથેની સીરીઝને માત્ર 2 શહેરોમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના વધી રહેલા કેસને કારણે ભારતમાં ફરી ભયનો માહોલ ફેલાયેલો છે. ત્યારે વેસ્ટઈન્ડિઝની ટીમ ભારત આવે તે પહેલાજ બીસીસીઆઈ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
6 ના બદલે 2 જગ્યાએ થશે મેચનું આયોજન
વેસ્ટઈન્ડિઝ અને ભારત વચ્ચે 6 ફેબ્રુઆરીથી મેચ શરૂ થશે. બધીજ મેચો પહેલા 6 જગ્યાએ રાખવામાં આવી હતી. પરંતુ હવે તેને 2 જગ્યાઓ પર રાખવામાં આવી છે. 6 ફેબ્રુઆરીથી અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સીરીઝની શરૂઆત થશે અને બાદમાં 16 ફેબ્રુઆરીથી કલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મેચ રમવામાં આવશે.
6,9,11 ફેબ્રુઆરીએ અમદાવાદમાં મેચ રમાશે
વેન્યૂ ચેન્જ થવાને કારણે ત્રીજી વન ડે મેચની તારીખ પણ બદલવામાં આવી છે. જેમા પહેલા 12 ફેબ્રુઆરીના રોજ મેચ યોજાવાની હતી જે હવે 11 ફેબ્રુઆરીએ યોજાશે. નવા આયોજન મુજબ 6, 9 અને 11 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં મેચ રમાશે જ્યારે 16, 18 અને 20 ફેબ્રુઆરીએ ટી-20 સીરીઝ કલકત્તામાં રમાશે.