ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના કેસો વધી રહ્યાં છે. ત્યારે જાણિતા કાર્ડિયોલોજિસ્ટ અને ગુજરાત કોરોના ટાસ્કફોર્સના મેમ્બર ડૉ. તેજસ પટેલે કોરોનાને લઈને અગત્યનું નિવેદન આપ્યું છે.
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો કહેર શરૂ
ત્રીજી લહેરની વચ્ચે નિષ્ણાંતે કર્યો દાવો
બે મહિનાની અંદર ત્રીજી લહેરનો અંત આવશે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસો પુનઃ વધ્યાં
કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. 9 મહિના પછી પહેલીવાર દેશમાં કોરોનાના કેસ 1 લાખને પાર થઈ ગયા છે. ગુજરાતમાં પણ કોરોનાના 4000 કેસો થી વધુ નોંધાયા છે. આ કેસમાં સાઉથ આફ્રિકાથી ફેલાયેલા કોરોના વેરિયન્ટના ઓમિક્રોનના કેસ પણ સામેલ છે. બધા જાણે છે એમ ઓમિક્રોનનાં લક્ષણો ખૂબ સામાન્ય છે અને તે જીવલેણ પણ નથી, પરંતુ એ જે પ્રમાણે ફેલાઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખીને ડરવું પણ એટલું જ જરૂરી છે. ત્યારે નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટ અને ગુજરાત કોરોના ટાસ્કફોર્સના મેમ્બર ડૉ. તેજસ પટેલે કોરોનાને લઈને અગત્યનું નિવેદન આપ્યું છે.
ડૉ. તેજસ પટેલ કોરોનાને લઇ આપ્યુ નિવેદન
કોરોનાની દરેક લહેર આ રીતે જ આવી છે. કોરાના પહેલાં દુનિયામાં આવ્યો અને પછી દેશમાં આવ્યો. કોરોનાની પહેલી લહેર પણ આ રીતે જ આવી હતી, બીજી લહેર પણ પહેલાં દુનિયાના અમુક દેશોમાં આવી અને પછી એ ભારતમાં આવી હતી. ત્રીજી લહેર પણ એવી જ છે. દેશમાં ઓમિક્રોનને પગલે કોરોનાની ત્રીજી લહેર આવી છે.ઓમિક્રોન ઘણો ચેપી છે.પરંતુ એની સારી વાત એ છે કે એ જીવલેણ નથી. એ ઉપરાંત આપણે ત્યાં વેક્સિનેશન પણ ઘણું સારું થયું છે, એટલે જેણે બે ડોઝ લીધા છે તેમને ઓમિક્રોન થાય તોપણ ગભરાવાની જરૂર નથી, પરંતુ થાય જ નહીં એની તકેદારી રાખવી જરૂરી છે.
બે મહિનાની અંદર ત્રીજી લહેરનો અંત આવશે.
જે પ્રમાણે કેસ વધી રહ્યા છે એને જોતાં કહી જ શકાય કે ત્રીજી લહેર આવી જ ગઈ છે. આ લહેરની પણ એક પીક આવશે, પણ જે લહેર આવી છે એ પૂરી પણ થઈ ગઈ છે. બીજી લહેર આપણા માટે ખૂબ પીડાદાયક હતી. જેમાં ઘણા લોકોએ તેમનાં સ્વજનો ગુમાવ્યાં છે, ઘણું નુકસાન થયું હતું. ત્રીજી લહેરમાં ઓમિક્રોન સિવાય કોઈ ખરાબ મ્યૂટેશન ના આવે તો ઓમિક્રોનનું સંક્રમણ વધારે ફેલાઈ શકે છે.પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ખૂબ ઓછા લોકોને થશે અને મૃત્યુદર પણ ઓછો રહેશે. વાઈરસ જેટલો ઝડપથી ફેલાય છે એટલી જ ઝડપથી પીક આવે છે અને એટલી જ ઝડપથી કેસમાં ઘટાડો થાય છે. તેથી માની શકાય કે બે મહિનાની અંદર ત્રીજી લહેરનો અંત આવશે.