કોરોનાની ત્રીજી લહેરમાં હવે દર્દીઓમાં લકવાની બીમારી દેખા દેતા ડોક્ટરોની ચિંતા વધી છે. બીજી લહેરમાં આવી કોઈ ઘટના જોવા મળી નહોતી પરંતુ ત્રીજી લહેરમાં કોરોના દર્દીઓમાં હવે લકવાના ઘણા કેસ સામે આવ્યાં છે. કોરોનાની ત્રીજી લહેરમાં હવે સૌથી મોટો ખતરો બ્રેન સ્ટ્રોક (લકવા)નો છે. સંક્રમણ બાદ કમજોર થયેલી મગજની નસો ફાટી રહી છે જેનાથી દર્દીઓની સ્થિતિ બગડી રહી છે. બિહારની હોસ્પિટલોમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં લકવાના ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યાં છે.
ત્રીજી લહેરમાં કોરોનાના દર્દીઓમાં લકવાની બીમારી જોવા મળી
બિહારના પટણામાં તથા દેશના બીજા હિસ્સાઓમાં કોરોના દર્દીઓમાં લકવાની બીમારી જોવા મળી છે. તેથી ડોક્ટરોએ કોરોના દર્દીઓને સાવધાન રહેવાની ચેતવણી આપી છે.
IGIMSમાં 15 દિવસમાં બ્રેન સ્ટ્રોકના 42 કેસ
પટણાની ઈન્દીરા ગાંધી આયુર્વિજ્ઞાન સંસ્થાને જણાવ્યું કે કોરોના સંક્રમિતોમાં ઝડપથી વધી રહેલા બ્રેન સ્ટ્રોનના કેસો તપાસનો વિષય છે. IGIMSમાં 15 દિવસમાં બ્રેન સ્ટ્રોકના 42 કેસ અને 30માં પોસ્ટ કોવિડના કેસ આવ્યાં છે.
કોરોનાની બીજી લહેરમાં લકવાનો ખતરો નહોતો
કોરોનાની બીજી લહેરમાં પોસ્ટ કોવિડમાં બ્રેન સ્ટ્રોકનો કોઈ કેસ સામે આવ્યો નહોતો. કોરોનાની ત્રીજી લહેર દરમિયાન બિહારના લોકો ઓમિક્રોનથી વધારે સંક્રમિત છે જેમાં હવે નવી મુશ્કેલી બ્રેન સ્ટ્રોક આવી રહી છે.
પટનામાં બ્રેઈન સ્ટ્રોકના દર્દીઓને બેડ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. આ દિવસોમાં આઈજીઆઈએમએસમાં બ્રેઇન સ્ટ્રોકના કેસોએ ડોકટરોને પણ આંચકો આપ્યો છે. શનિવારે એક જ દિવસે બ્રેઇન સ્ટ્રોકના 8 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે તાજેતરમાં 35 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. 15 દિવસની અંદર જ બ્રેઈન સ્ટ્રોકના 42થી વધુ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.