કોરોનાની ત્રીજી લહેર અંગે કાનપુર IITના નિષ્ણાંતોએ આંકલન કર્યું છે કે, અગામી 23 જાન્યુઆરીએ રાજ્ય સહિત દેશભરમાં લહેર તેની પીક પર હશે
કોવિડની ત્રીજી લહેરને લઇ IIT કાનપુરનું આંકલન
23 જાન્યુઆરીએ રાજ્ય સહિત દેશભરમાં આવશે પીક
ગુજરાતમાં કેસમાં થઇ રહ્યો છે સતત વધારો
ભારતમાં કોવિડમાં ત્રીજી લહેરની લઇ આંકલન
સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 દેશ સહિત રાજ્યભરમાં કલાકમાં અમદાવાદમાં 3,17,532 નવા કોરોનાના કેસ નોંધાયા હતાં. જ્યારે 491 દર્દીઓના મોત નીપજ્યાં છે. તેની વચ્ચે દેશ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની પીક ક્યારે આવશે તેને લઈને કાનપુર IITના નિષ્ણાંતોએ અનુમાન કર્યુ છે
ગુજરાતમાં કેસમાં થઇ રહ્યો છે સતત વધારો
કાનપુર IITના નિષ્ણાંતોના આંકલન મુજબ દેશ સહિત સમગ્ર રાજ્યમાં ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. તેમજ આગામી 23 જાન્યુઆરીએ ભારતમાં ત્રીજી લહેરની પીક આવશે. તેમજ ગુજરાતમાં પણ આગામી સપ્તાહમાં કોરોનાની ત્રીજી લહેરની પીક આવશે. મહત્વનું છે કે, ગુજરાતમાં છેલ્લા 36 કલાકમાં રેકોર્ડ બ્રેક દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવી રહ્યાં છે.
હોમ સેલ્ફ ટેસ્ટિંગ કિટની માંગમાં એકાએક આવ્યો ઉછાળો
બીજી તરફ રાજ્ય સહિત અમદાવાદમાં રેકોર્ડબ્રેક કોરોનાના કેસો નોંધાતાની સાથે એકા એક કોરોના એન્ટિજન ટેસ્ટિંગ કીટના વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલ અમદાવાદમાં દૈનિક 15 હજારથી વધુ કીટો વેચાઈ રહી છે. જે અગાઉ અમદાવાદમાં રોજની 6 હજાર કીટોનું વેચાણ થતું હતું.