કેરળમાં ફરી વાર છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 30,203 કેસો નોંધાયા છે. તેથી ત્રીજી લહેર આવી હોવાનું અનુમાન છે.
કેરળમાં કોરોનાના નવા 30,203 કેસો નોંધાયા
કેરળથી ત્રીજી લહેર શરુ થઈ હોવાની શક્યતા
સંક્રમિતોની સંખ્યા વધીને 40.57 લાખ થઈ
દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને જાતજાતનો વાતો ચાલી રહી છે. મોટાભાગના અનુમાનોમાં ત્રીજી લહેર સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં શરુ થશે તેવો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે.
દેશમાં કેરળ એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં છેલ્લા 15 દિવસથી સતત 30 હજારથી વધુ કેસ આવી રહ્યાં છે. ICMR ના મહામારી વિજ્ઞાનના પ્રમુખ ડોક્ટર સમીરન પાંડાએ જણાવ્યું કે કેટલાક રાજ્યોમાં ત્રીજી લહેરના શરુઆતના સંકેત મળ્યાં છે.
ડોક્ટર સમીરન પાંડાએ જણાવ્યું કે કેટલાક રાજ્યોમાં ત્રીજી લહેર શરુ થયાના સંકેત મળ્યાં છે. આ રાજ્યોએ બીજી લહેરમાં ઘણી વધારે ગંભીર અસરનો અનુભવ કર્યો નહોતો. ઘણા રાજ્યોએ દિલ્હી અને મહારાષ્ટ્રમાંથી બોધપાઠ લઈને જલદીથી પ્રતિબંધો લગાવી દીધા તેથી ત્યાં સંક્રમણ જોવા મળ્યું નથી.
50 ટકાથી વધારે બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે- સમીરન પાંડા
પાંડાએ જણાવ્યું કે જોકે ડરવાની જરુર નથી. તેમણે જણાવ્યું કે ચોથા નેશનલ સીરો સર્વેથી સ્પસ્ટ જણાયું છે કે 50 ટકાથી વધારે બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જોકે મોટાની તુલનામાં બાળકોની સંખ્યા ઓછી છે. તેથી આપણે કારણ વગર ડરવાની જરુર નથી. જે રાજ્યોએ પોતાની મહામારી સંબંધી તપાસ કરી છે અને મોટા લોકોને વેક્સિન આપી છે, તેઓ ધીરે ધીરે સ્કૂલો ખોલી રહ્યાં છે.
આઈઆઈટી-કાનપુરના વૈજ્ઞાનિક મનિન્દ્રા અગ્રવાલે જણાવ્યું હતું કે ગયા મહિને ત્રીજી લહેર ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે ટોચ પર રહેશે અને જો સાર્સ-કોવ-2માં વધુ ચેપી પરિવર્તન હોય તો આ કેસ દરરોજ 1.5 લાખથી 2 લાખ ની વચ્ચે હશે. જોકે, ડેલ્ટામાંથી ખાસ ચેપી પરિવર્તન થયું ન હતું. ગયા સપ્તાહનો અંદાજ પણ આવો જ હતો પરંતુ નવા અંદાજથી રોજના કેસોની સંખ્યા એકથી ઘટાડીને દોઢ લાખ કરી દીધી છે. અગ્રવાલે જણાવ્યું હતું કે નવીનતમ ડેટામાં જુલાઈ અને ઓગસ્ટમાં હાથ ધરવામાં આવેલા રસીકરણ અને સિરો સર્વેક્ષણોને પણ આવરી લેવામાં આવ્યા છે.