ચોરનો પત્ર સોશિયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યા છે. ચોરે આ લેટરમાં લખ્યું છે કે મારાથી જે ભૂલ થઈ છે તેને માફ કરજો. મને આ સામાનથી બહુ નુકશાન પહોચ્યું છે એટલે હું આ સામાન પાછો મુકી રહ્યો છું.
મધ્ય પ્રદેશના બાલાધાટ પાસે આવેલ જૈન મંદિરનો બનાવ
24 ઓક્ટોમ્બરો મંદિરમાં થઈ ચોરી
થોડાક જ દિવસમાં ચોર ચોરી કરેલ સામાન પરત મુકી ગયો
સામાન સાથે ચોરે પત્ર પણ મુક્યો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો
મધ્ય પ્રદેશને બાલાધાટ પાસે આવેલ એક મંદિરમાં 24 ઓક્ટોમ્બરનાં રોજ ચોરી થઈ હતી. ચોરે જૈન મંદિરમાં ચોરી કરી કિંમતી સામાન ચોરી કરી દીધો હતો. આ ઘટનામાં એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જેમાં ચોરે જૈન મંદિરમાંથી ચોરી કરેલ તમામ સામાન પાછો મુકી ગયો હતો. તેમજ એક પત્ર પણ લખ્યો છે. જે પત્ર સોશિયલ મિડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ચોરે પત્ર સાથે મંદિરમાંથી ચોરેલા ચાંદીના 9 છત્ર અને એક ચાંદીનું ભાડમંડલપણ પાછું મુકી ગયો છે.
ચોરે પત્રમાં શું લખ્યું?
ચોરનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચોરે લેટરમાં લખ્યું છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો. મને આ સામાનથી ખૂબ નુકશાન થયું છે. એટલે હું આ તમામ સામાન પાછો મુકી રહ્યો છું. ચોરે વધુમાં લખ્યું હતું કે હું અનુરોધ કરુ છું કે જેના પણ આ સામાન મળે તેમણે આ સામાનને જૈન મંદિરમાં આપી દેવો. તેમજ ચોરે પોતાની ઓળખ બાબતે પત્રમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી. પત્રમાં ચોરે લખ્યું હતું કે તે એક ગુમનામ વ્યક્તિ છું.
ચોરનો આ પત્ર સોશિયલ મીડિયામા વાયરલ થઈ રહ્યો છે. ચોરે લાખ્ખો રુપિયાનો સામાન પાછો આપી દીધો છે. પોલીસે કહ્યુંકે ચોરની શોધખોળ હજુ પણ ચાલુ છે. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશને બાલાઘાટ પાસેને જૈન મંદિરમાં 24 ઓક્ટોમ્બરના રોજ ચોરી થઈ હતી અને ચોર લાખ્ખો રુપિયાનો સામાન લઈ ગયો હતો.
મળતિ માહિતી મુજબ, ચોરે જૈન મંદિર પાસે પંચાયત ભવન પાસે ચોરીનો સામાન મુક્યો હતો. તેમજ ચોરે ત્યાં જ એક થેલીમાં સામાનની સાથે એક પત્ર પણ મુક્યો હતો. ચોરના આ વ્યવહારથી આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.