2020માં કોરોના વાયરસનો પ્રકોપ વધ્યો ત્યારે દેશભરમાં સિનેમાઘર બંધ કરવામાં આવ્યા હતા. હવે તે ગાઇડલાઇન્સમાં છૂટછાટ આપવામાં આવી છે.
થિયેટરમાં વધશે સિટીંગ કેપેસિટી
સ્વિમિંગપુલમાં બધા જ લોકો જઇ શકશે
થિયેટરમાં ચાલશે યશનો જાદુ
પહેલા 50 ટકા કેપેસિટી સાથે આપી હતી મંજૂરી
કોરોનાના કારણે બંધ થયેલા થિયેટર્સ હવે ખુલવા જઇ રહ્યાં છે અને તે પણ વધારે સિટીંગ કેપેસિટી સાથે. તે ઉપરાંત સ્વિમિંગ પૂલમાં સૌને જવાની મંજૂરી મળી છે. 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી અમલમાં આવશે. ભારતના દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ બધી જ પ્રવૃત્તિઓને લઇને કોરોના ગાઇડલાઇન્સને લગતી તમામ વાતોનો અમલ કરવાનો રહેશે.
નવી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે, કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર તમામ પ્રકારની છુટ મળશે તે સિવાય સ્વિમિંગપુલ, સિનેમા ઘરોમાં પણ છુટછાટ મળશે.
ગત ચાર મહિનાથી કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે અને તેની પાછળ ગાઇડલાઇન્સનું અમલીકરણ કારણ છે. હવે આરોગ્ય અને કુટુંબ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
કોરોના વાઇરસના કારણે સમગ્ર દુનિયા અને દેશ લાંબા સમય સુધી બંધ રહ્યો. હવે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે ત્યારે પ્રશ્ન મનોરંજન ઇન્ડસ્ટ્રી માટે છે કે, ક્યારે ફરીથી શૂટિંગ શરૂ થશે. ફિલ્મો જે પહેલેથી જ બનેલી છે તે થિયેટરમાં રિલીઝ થશે કે નહી ? આવા ઘણા બધા પ્રશ્નો છે જેના જવાબ હજૂ નથી મળ્યા.
જૂનમાં ખુલવાના હતા થિયેટર્સ
30 જૂન સુધી સિનેમાઘર બંધ રાખવાનો નિર્ણય હતો. હવે સિનેમાઘર ખોલવાની પરમિશન મળી શકે છે. જો થિયેટર ખૂલશે તો કર્મચારીઓ માટે કેટલાક રુલ્સ બનાવવામાં આવશે. મલ્ટીપ્લેક્સ એસોશિયેશન ઓફ ઇન્ડિયાએ સરકાર પાસે થિયેટરને ખોલવાની પરમિશન માંગી છે.
જયપૂરમાં એક મલ્ટીપ્લેક્સ ચેઇન ચલાવનાર અભિમન્યુ બંસલે જણાવ્યુ કે, એકવાર સરકાર થિયેટર ખોલવાની મંજૂરી આપે તો આશા છે કે 15 થી 30 જૂનની વચ્ચે ખુલશે. સાથે જ અલગ નિયમો પણ બનાવવામાં આવશે.
સાથે જ તેમણે જણાવ્યુ કે, જો થિયેટર શરૂ થશે તો માસ્ક અને ગ્લવ્ઝ પહેરવા ફરજીયાત હશે. શરૂઆતમાં માત્ર 50 ટકા લોકોને જ થિયેટરમાં બેસવાની મંજૂરી અપાશે. જો મલ્ટીપ્લેક્સ શરૂ થયા તો અક્ષય કુમાર અને કેટરીના અભિનીત ફિલ્મ 'સુર્યવંશી' સૌથી પહેલા રિલીઝ થશે.
યશનો જાદુ ચાલશે
સુર્યવંશી પહેલા રિલીઝ થશે તેવું લાગતુ હતુ પરંતુ હવે કેજીએફ-2 સામે અક્ષય કુમાર પણ નહી પડે તેવું લાગે છે. હવે સંજય દત્ત અને યશની ફિલ્મ કેજીએફ-2 રિલીઝ થશે.