સરહદ પર તણાવ વચ્ચે બુધવારે ભારતે નવો ઇતિહાસ રચ્યો છે. ભારતે 400 કિ.મી.ની નવી આવૃત્તિ વાળી સુધારેલી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ હાલમાં દુનિયાની સૌથી ઝડપી ક્રુઝ મિસાઈલ છે.
ભારતે કર્યું બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ
બ્રહ્મોસ સુપર સોનિક ક્રુઝ મિસાઈલ છે
નવી મિસાઈલની રેંજ વધારીને 400 કિમી કરાઈ છે
ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત પોતાની શક્તિઓને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. આ શ્રેણીમાં આગળ વધતાં દેશને બુધવારે મોટી સફળતા મળી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ( DRDO ) એ બુધવારે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આ આ મિસાઇલ ના અપગ્રેડ વર્ઝનનું પરીક્ષણ હતું, જેની ફાયરપાવર ની રેન્જ વધારીને 400 કિ.મી. કરવામાં આવી હતી.
The extended range BrahMos supersonic cruise missile that was test-fired off the coast of Odisha’s Balasore today. The missile can hit targets at a range of more than 400 kms. It is fitted with new indigenous booster and airframe. https://t.co/Wacj2GD4fvpic.twitter.com/ATLvoY8xE3
બ્રહ્મોસ મિસાઈલ ની સુધારેલી આવૃત્તિનું કરાયું હતું પરીક્ષણ
DRDO ના કહેવા મુજબ આ પરીક્ષણ સંસ્થાના PJ 10 પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યું છે. બુધવારે ઓડિશા ના ચાંદીપુરમાં આ મિસાઇલ નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે ભારતની સૈન્ય શક્તિ ને વધુ મજબૂત કરવા માટે ઉપયોગી બનશે. આ મિસાઇલ માં ઉપયોગમાં લેવાતા એરફ્રેમ્સ અને બૂસ્ટર સ્વદેશી રીતે બનાવવામાં આવ્યા છે.
બ્રહ્મોસ નું અપગ્રેડ કરેલું સંસ્કરણ ભારતના DRDO અને રશિયાના NPOM દ્વારા સહયોગમાં બનાવાયું છે. જેને યુદ્ધ જહાજો, સબમરીન, લડાકુ વિમાનો અને જમીનથી લોંચ કરી શકાય છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ એ પણ ટ્વિટ કરીને DRDO ને આ સફળ પરીક્ષણ બદલ અભિનંદન પાઠવ્યા છે.
આ મિસાઈલ હાલમાં ભારતીય સેનાની ત્રણેય કમાનમાં સામેલ થઈ ચૂકી છે
નોંધનીય છે કે બ્રહ્મોસ પહેલી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે, જે હાલમાં સેવામાં છે. આ મિસાઇલ 2005 માં INS રાજપૂત પર ભારતીય નૌકાદળ દ્વારા શામેલ કરવામાં આવી હતી. હવે ભવિષ્યમાં તમામ યુદ્ધ જહાજોને નવી અપગ્રેડેડ મિસાઈલ સુવિધા સાથે સમાવવામાં આવશે.
અગાઉ, ભારતીય સેનાએ બ્રહ્મોસ મિસાઇલ ને તેની ત્રણ રેજિમેન્ટમાં શામેલ કરી છે, એટલે કે જો દુશ્મન કંઇક પ્લાન બનાવે છે, તો તેને યોગ્ય જવાબ આપવા માટે આ મિસાઈલ ભારતના ભાથાનું અમોઘ શસ્ત્ર બની રહેશે.
ચીન સાથેના તણાવ વચ્ચે આ ભારત માટે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ
છેલ્લા કેટલાક મહિનાઓથી લદાખમાં ચીન સાથે તણાવની પરિસ્થિતિમાં, આવા સમયમાં ભારતની આ મિસાઈલ નું સફળ પરીક્ષણ ભારત માટે એક મહત્વપૂર્ણ સફળતા સાબિત થઈ કહેવાશે. હાલમાં કેન્દ્રની મોદી સરકાર સ્થાનિક અને વિદેશી બંને પ્રકારના શસ્ત્રોથી સૈન્યને મજબૂત બનાવવામાં સતત કાર્યરત છે.