PM કિસાન યોજનાનો 10મો હપ્તો આવતીકાલે ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી શક્યતાઓ છે.
PM Kisan યોજનાનો દસમો હપ્તો આવશે
પીએમ મોદી આપી શકે છે ગુડ ન્યૂઝ
આવતીકાલે ખેડૂતોનાં ખાતામાં રૂપિયા જમા થાય તેવી શક્યતા
આવતીકાલે ખેડૂતોને મોટી ભેટ આપશે પીએમ મોદી?
પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને હવે 10મો હપ્તો મળવાનો છે, અત્યાર સુધીમાં ખેડૂતોનાં ખાતામાં સીધા જ 9 હપ્તાનાં પૈસા આપવામાં આવ્યા છે અને 10મો હપ્તો ગમે ત્યારે આવે તેવી શક્યતા છે. પીએમ સમ્માન નિધિનાં પૈસા હજુ સુધી ખેડૂતોનાં ખાતામાં આવ્યા નથી ત્યારે દિલ્હીનાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આવતીકાલે ખેડૂતોના જ એક કાર્યક્રમમાં પીએમ મોદી પોતે પૈસા રીલીઝ કરી શકે છે. આવતીકાલે 16 ડિસેમ્બરે આ કાર્યક્રમ થવાનો છે.
ગુજરાતનાં ખેડૂતોને સંબોધિત કરશે પીએમ મોદી
16 ડિસેમવરે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમા પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી ભાગ લેવાના છે અને સંબોધન પણ કરશે. આ કાર્યક્રમમાં પાંચ હજાર જેટલા ખેડૂતો જોડાય તેવી શક્યતા છે ત્યારે આ જ કાર્યક્રમમાં પીએમ મોદી 10માં હપ્તા મુદ્દે જાહેરાત કરી શકે છે.
સરકારે Pm કિસાન યોજનામાં મોટો ફેરફાર કર્યો
સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pm કિસાન યોજના)માં મોટો ફેરફાર કર્યો છે. જો તમે પણ આ યોજનાનો લાભ લો છો, તો તમારે તાત્કાલિક તપાસ કરવી જોઈએ. હવેથી આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને અન્ય તમામ દસ્તાવેજો સાથે રેશનકાર્ડ આપવા જરૂરી છે. જે ખેડૂત રેશનકાર્ડ નહીં આપે તે આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં.PM કિસાન યોજનાને લઈને ચાલી રહેલી છેતરપિંડી રોકવા માટે સરકારે આ પગલું ભર્યું છે. હવે તમને રેશનકાર્ડ વિના હપ્તાના પૈસા નહીં મળે. તમને જણાવી દઈએ કે, આ યોજના હેઠળ હવે નવા રજીસ્ટ્રેશન કરાવનારા તમામ ખેડૂતો માટે રેશન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. તમને અથવા તમારા પરિવારના સભ્યોને રેશન કાર્ડ નંબર આપ્યા પછી જ આ યોજનાનો લાભ મળશે. આ સિવાય તમારે પોર્ટલ પર તમામ દસ્તાવેજોની સોફ્ટ કોપી પણ અપલોડ કરવાની રહેશે.આ ઉપરાંત હાલમાં આ યોજનાનો લાભ લઈ રહેલા તમામ ખેડૂતોએ તેમના રેશનકાર્ડ નંબર પણ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે.