PSIની ૧૩૮૨ જગ્યાઓ માટે અંદાજીત પસંદગી યાદીનું કટઓફ જાહેર
વિકાસ સહાયે ટ્વીટ કરી આપી માહિતી
પો.સ.ઇ. કેડરની કુલ-૧૩૮૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંકઃ PSIRB/202021/1નું અંદાજીત પસંદગી યાદીનું કટઓફ જાહેર કરી દેવામાં આવ્યું છે. મંડળની વેબસાઇટ પર જણાવ્યા અનુસાર જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઇની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થયા પછી પો.સ.ઇ. સંવર્ગનું આખરી પરીણામ જાહેર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ઉમેદવારોને તેઓ પો.સ.ઇ. સંવર્ગની ભરતીમાં ઉતીર્ણ થવાની શકયતા છે કે કેમ અને તેઓ પોતાની કારર્કિદી માટે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુ થી જ અંદાજીત પસંદગી યાદીનું કટઓફ દર્શાવવામાં આવી રહેલ છે જે નીચે મુજબ છે.
તા.૨૯/૦૮/૨૦૨૨
પો.સ.ઇ. કેડરની દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ પૂર્ણ કરવામાં આવેલ.દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેલ ઉમેદવારો પૈકી SC, SEBC અને ST ના ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણપત્રો સરકારશ્રીના નિયમોનુસાર જે તે વિભાગ પાસે ખરાઇ કરવા સારૂ મોકલી આપવામાં આવેલ છે. જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઇ અંગે આખરી અહેવાલ આવ્યેથી પો.સ.ઇ. કેડર ભરતીનું આખરી પરીણામ જાહેર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જે ધ્યાને લેવુ.
૩૦/૦૭/૨૦૨૨
મુખ્ય પરીક્ષા
(૧) પો.સ.ઇ. કેડરની કુલ-૧૩૮૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંકઃ PSIRB/202021/1 થી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ.
(ર) તા.૧૨/૦૬/૨૦૨૨ અને તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવેલ.
(૩) તા.૧૬/૦૭/૨૦૨૨ નારોજ તમામ હાજર ઉમેદવારોના ગુણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ અને નિયમોનુસાર રિચેકીંગ માટે અરજીઓ મંગાવવામાં આવેલ. રિચેકીંગ માટે ૧૨૭ પેપરો માટે ૬૮ અરજીઓ મળેલ જે રિચેકીંગ અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ જેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થતો નથી.
(૪) સરકારશ્રીના ગૃહવિભાગના ઠરાવ ક્રમાંકઃ જીજી/જીયુજે/૪/૨૦૨૧/મહક/ ૧૦૨૦૧૦/૩૩૫/સ, તા.૦૪/૦૧/૨૦૨૧થી ઠરાવેલ પરીક્ષા નિયમોમાં મુદદા નંબર-૮ (એચ) ના પેરા નંબર-૨ માં જણાવ્યા મુજબ ખાલી જગ્યાના ૨ (બે) ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ કરવા જણાવેલ છે.
(પ) કવોલીફાઇડ લીસ્ટ તૈયાર કરવા માટે મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારના શારીરીક કસોટીમાં મેળવેલ ગુણ, મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ, એન.સી.સી. “સી” સર્ટીફીકેટના મળવાપાત્ર વધારાના ગુણ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી / રક્ષા શકિત યુનિર્વસિટી પ્રમાણપત્રના મળવાપાત્ર વધારાના ગુણ, રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ તથા વિધવાને મળવાપાત્ર વધારાના ગુણનો સરવાળો કરી જે ગુણ આવે તેને ધ્યાને લઇ તૈયાર કરવામાં આવેલ છે.