જીવનમાં કોઇપણ ક્ષેત્રમાં કોઇ પ્રકારની મુશ્કેલી આવે છે તો બધુ બરાબર કરવા માટે ભગવાનના શરણમાં જવું સામાન્ય બાબત છે અને રમત પણ તેનાથી બહાર નથી. પરંતુ એક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની અંદર મંદિર હોય તો વિચિત્ર જરૂરથી લાગશે. ઉપ્પલના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એન્ટર થતા જ તમને મંદિર જોવા મળશે. આ સ્ટેડિયમમાં હાલમાં ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. સામાન્ય દિવસોમાં આ મંદિર તરફ કોઇનું ધ્યાન ભલે ન જતું હોય પરંતુ મેચના દિવસે આ મંદિર તમારું ધ્યાન આકર્ષિત કરશે.
આ મંદિર પાછળની વાર્તા વિશે પૂછવા પર પૂજારી હનુમંત શર્માએ કહ્યુ કે આ મંદરિનું નિર્માણ 2011માં કરવામાં આવ્યુ કારણ કે ટીમ ઇન્ડિયા અને IPLની તે સમયની સ્થાનિક ફ્રેન્ચાઇઝી ડેક્કન ચાર્જર્સ આ મેદાન પર મેચ નહોતી જીતી શકી. તેમણે કહ્યુ કે આ ઘરેલૂ ટીમો માટે અશુભ મેદાન સાબિત થઇ રહ્યુ હતુ. ત્યારે જાણવા મળ્યુ કે મેદાન પર વાસ્તુદોષ છે. ભગવાન ગણેશ વાસ્તુશાસ્ત્રના દેવતા છે. તમે 2011 પછીના રેકોર્ડ જોશો તો ટીમ ઇન્ડિયા ક્યારેય નથી હારી.
આંકડા અનુસાર ટીમ ઇન્ડિયાએ આ મેદાન પર પોતાની પહેલી ઇન્ટરનેશનલ મેચ 2005માં રમી હતી. સાઉથ આફ્રિકા સામેની આ વનડે મેચમાં ટીમ ઇન્ડિયા 5 વિકેટથી હારી ગયું હતુ. જે પછી ટીમ ઇન્ડિયા 2007 અને 2009માં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઇ હતી. ટીમ ઇન્ડિયા 14 ઓક્ટોબર 2011 પર અહીં ઇગ્લેન્ડને હરાવ્યુ અને શ્રીલકાને પણ 6 વિકેટથી હરાવી.
આવી રીતે 2010માં ન્યૂઝીલેન્ડ સામે આ મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ બાદ ટીમ ઇન્ડિયા અહીં પર જે 3 ટેસ્ટ મેચ મોટા અંતરથી જીતી છે. હાલમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં ટીમ ઇન્ડિયાની શરૂઆત જોઇને લાગી રહ્યુ છે. આ ક્રમ આગળ પણ જળવાઇ રહેશે.
હનમંતને પૂછવામાં આવ્યુ કે શું ટીમ ઇન્ડિયાનો કોઇ દિગ્ગજ ખિલાડી અહીં પૂજા કરવા માટે આવે છે? જવાબમાં તેણે કહ્યુ કે મહેન્દ્ર સિંહ ધોની પ્રેક્ટિસ સેશન પછી અહીં આવીને ભગવાન ગણેશના આશીર્વાદ લે છે. જે અન્ય નામ મારા ધ્યાનમાં આવી રહ્યા છે તેમાં કર્ણ શર્મા છે.