હાલના સમયમાં ક્રિકેટર્સ સોશ્યલ મિડીયા પર ખુબ એક્ટિવ રહે છે તો કેટલાક ક્રિકેટર એવા છે જેમણે સોશ્યલ મિડીયાથી અંતર જાળવી રાખ્યુ છે. તેમાં આશીષ નહેરા પણ સામેલ છે.
આશીષ નહેરાના કહ્યાં અનુસાર તેણે 2017માં વૉટ્સઍપ યુઝ કરવાની શરૂઆત કરી હતી. એક વ્યક્તિએ આશીષને 3 ટ્વિટ કરવાના 80 લાખ રૂપિયા ઑફર કર્યા હતા ત્યારે તે વ્યક્તિને ગાળ આપીને ભગાડી દીધો હતો.
યુટ્યુબના ઓકટ્રી સ્પોર્ટ્સ ચેનલના શો બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સમાં ગૌરવ કપૂરે નહેરાને પૂછ્યુ કે તું સોશ્યલ મિડીયાથી કેમ દૂર રહે છે. ત્યારે નહેરાએ જવાબ આપ્યો કે, એમ જ. મને સોશ્યલ મિડીયા પર રહેવાનો કોઇ શોખ નથી, હું તો ફોન પણ મુશ્કેલથી વાપરુ છું. વૉટ્સેપ 2017માં યુઝ કરવાની શરૂઆત કરી હતી. મને મારી પત્નીએ આઇફોન 7 લાવીને આપ્યો હતો થોડા દિવસ બાદ એક વ્યક્તિએ મને પૂછ્યુ કે સર તમારો તો આઇફોન 7 છે આ આઇફોન 6થી સારો છે?
આશીષે જવાબ આપ્યો કે, સાંભળ ભાઇ આ ફોનથી પહેલા મારી પાસે નોકીયા ઇ51 હતો. તેના પછી સીધો આ ફોન છે. મને કોઇ આઇડીયા નથી કે આઇફોન 1,2,3,4,5 કે 6 શું છે. જે છે એ આ છે. તે વ્યક્તિ કહેવા લાગ્યો કે આમાં ઘણા સારા ફીચર્સ છે. મેં તેને જવાબ આપ્યો કે મને ફક્ત વોટ્સએપ અને લીલુ કે લાલ બટન જ ખબર છે. તે સિવાય મને કંઇ ખબર નથી.
આ સાંભળીને ગૌરવ કપૂર હસવા લાગ્યો અને કહ્યું કે તુ ટ્વિટ યુઝ કરે છે ત્યારે આશીષે કહ્યું કે મારા પાછળ લોકો પડ્યા હતા. એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને કહ્યું કે તમારે ગર મહીને 3 ટ્વિટ કરવાના અને અમે તમને વાર્ષિક 80 લાખ રૂપિયા આપીશુ પરંતુ અમે કહીશુ તે ટ્વિટ તમારે કરવાની રહેશે. મેં તેને ગાળ આપીને બગાડી દીધો હતો.